શોધખોળ કરો

Winter Care: રસોડામાં મોજૂદ આ 6 વસ્તુઓ ફટાફટ ઓગાળશે ચરબી, ઠંડીમાં ચોક્કસથી કરો સેવન

લસણના ઉપયોગથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. આર્થરાઈટીસના દુખાવામાં રાહત આપવાથી લઈને ચરબી ઘટાડવા સુધી તે ઉપયોગી છે.

Winter Care:મેદસ્વીતા અનેક રોગોને આમંત્રણ આપે છે. જેના કારણે આજના યુગમાં દરેક વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે. આ માટે તેઓ જુદી જુદી રીતો અજમાવતા હોય છે. આ હોવા છતાં, વજન ઘટાડવામાં સમસ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે આપણે શરીરને જે આપીએ છીએ તે પાછું આપે છે. મતલબ કે જો આપણે ખૂબ કસરત કરીએ છીએ પરંતુ આહારનું ધ્યાન ન રાખીએ તો વજન નિયંત્રણમાં રહેતું નથી. જો આપણે ડાયટ પર ધ્યાન આપીએ અને વર્કઆઉટ ટાળીએ તો સ્થૂળતા ઘટાડવામાં તકલીફ પડે છે. એટલા માટે અમે તમને રસોડામાં હાજર એવી છ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને એક્સરસાઇઝની સાથે ડાયટમાં સામેલ કરવામાં આવે છે, તો વધારાની ચરબી ઓગળવામાં સમય લાગશે નહીં.

 સરસવનું તેલ આપણા બધા રસોડામાં હોય જ છે. પરંતુ મોટાભાગના લોકો હવે રિફાઈન્ડ તેમજ અલગ અલગ તેલનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે સરસવના તેલમાં અન્ય તેલની તુલનામાં ઓછી સંતૃપ્ત ચરબી હોય છે. તેથી, જો તમે વજન ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યા છો, તો સરસવના તેલમાં રાંધેલ ખોરાક ખાઓ. તેમાં હાજર ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ કેલરી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

  

લસણના ઉપયોગથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. આર્થરાઈટીસના દુખાવામાં રાહત આપવાથી લઈને ચરબી ઘટાડવા સુધી તે ઉપયોગી છે. લસણમાં એલિસિન નામનું તત્વ જોવા મળે છે જેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે શરીરમાંથી કોલેસ્ટ્રોલ અને ખરાબ ચરબીને દૂર કરે છે. બ્લડ શુગર કંટ્રોલ કરે છે. લસણ ખાવાથી પેટ ભરેલું રહે છે, જેના કારણે તમને ભૂખ ઓછી લાગે છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ.

 હળદર વિના ઉત્તર ભારતમાં કોઈ શાકભાજી તૈયાર કરવામાં આવતી નથી. હળદરમાં ફેટ બર્નિંગ ગુણ જોવા મળે છે. તે શરીરમાં સંગ્રહિત ચરબીને તોડીને તેને ઊર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. આ સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. તેમાં કેન્સરનું જોખમ ઘટાડવાની પ્રોપર્ટીઝ  છે. ત્વચાને પણ સારી રાખે છે. એટલા માટે હળદરને હૂંફાળા પાણી અથવા દૂધમાં ભેળવીને લઈ શકાય છે. શાકભાજી અને કઠોળમાં હળદરનો ઉપયોગ અવશ્ય કરો.

 

વજન ઘટાડવાની સાથે મેથીના દાણા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં, શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધારવામાં અને બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. મેથીમાં પર્યાપ્ત માત્રામાં ગેલેક્ટોમેનન હાજર છે, તે પાણીમાં દ્રાવ્ય હેટરોપોલિસેકરાઇડ તરીકે કામ કરે છે અને ચરબી ઘટાડે છે. એક ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. પછી તેને સવારે ખાલી પેટ પીવો. મેથીના દાણા ચાવીને ખાઓ. થોડા અઠવાડિયામાં તમે જોશો કે તમે પાતળા થઈ રહ્યા છો.

 મધમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તે કોલેસ્ટ્રોલ અને ચરબી ઘટાડવાનું કામ કરે છે. દરરોજ નવશેકા પાણીમાં મધ મેળવીને પીવાથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળવા લાગે છે. ઠંડીમાં તેનું સેવન કરવાથી શરદી તમારાથી દૂર રહે છે. આ સાથે તમે તમારી જાતને ઊર્જાવાન અનુભવો છો.

 શિયાળાની ઋતુમાં લોકો કહે છે કે દહીં અને છાશથી અંતર રાખવું જોઈએ. પરંતુ આ ખોટું છે. તમે બપોરે છાશ  લઈ શકો છો. છાશમાં માત્ર 2.2 ગ્રામ ચરબી અને 99 કેલરી હોય છે. તે વજન ઘટાડવાનું કામ કરે છે. આના નિયમિત સેવનથી ભૂખ પણ લાગતી નથી અને તમને કેલરી અને ચરબી વગરના પોષક તત્વો મળે છે.શરીર પણ હાઇડ્રેઇટ રહે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget