![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Health tips: સાંધાના દુખાવાથી પીડિત છો તો આજે જ આ ફૂડને કહી દો અલવિદા,Painથી મળશે છુટકારો
Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.
![Health tips: સાંધાના દુખાવાથી પીડિત છો તો આજે જ આ ફૂડને કહી દો અલવિદા,Painથી મળશે છુટકારો Health tips do not eat these food items in arthritis Health tips: સાંધાના દુખાવાથી પીડિત છો તો આજે જ આ ફૂડને કહી દો અલવિદા,Painથી મળશે છુટકારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/10/d4ad26b46cac1eef618db2f0c0a86993_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.
સંધિવા એ સાંધા સંબંધિત સમસ્યા છે, જેમાં સોજો, દુખાવો અને ચાલવામાં તકલીફ થાય છે. ઑસ્ટિયોઆર્થરાઇટિસ એ એક સામાન્ય સમસ્યા છે જે વધતી ઉંમર સાથે વધતી જાય છે. 40 ટકા પુરુષો અને 47 ટકા સ્ત્રીઓ આ રોગથી પ્રભાવિત જોવા મળે છે. સંધિવાને નિયંત્રિત કરવા માટે આહારનું ખૂબ મહત્વ છે. તેના લક્ષણોને યોગ્ય અને સ્વસ્થ આહારથી ઘટાડી શકાય છે. આર્થરાઈટીસના દર્દીઓએ આવી ખાદ્ય વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
ખાંડ
આર્થરાઈટિસના દર્દીઓ ખાંડનું સેવન ઓછું કરશે તો આર્થરાઈટિસનું જોખમ ઓછું થશે. આર્થરાઈટિસની સ્થિતિમાં આઈસ્ક્રીમ, ચોકલેટ, કેન્ડી અને મીઠાઈઓ ન ખાવી જોઈએ. આ સાથે સોડા અથવા ડાયેટ ડ્રિંકથી આર્થરાઈટિસનું જોખમ પણ વધી જાય છે.
પ્રોસેસ્ડ અને રેડ મીટ
આર્થરાઈટિસમાં પ્રોસેસ્ડ અને રેડ મીટનું સેવન ન કરવું જોઈએ, જેના કારણે સાંધામાં સોજો અને દુખાવો વધે છે. આ રોગમાં છોડ આધારિત ખોરાકનું સેવન ફાયદાકારક છે.
ગ્લૂટન ફૂડ
આર્થરાઈટીસમાં ગ્લુટેન ફૂડથી અંતર રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, ઘઉં, જુવાર, આખું અનાજ અને શુદ્ધ લોટ ઓછી માત્રામાં લેવા જોઈએ. જો કે, ગ્લુટેનનું સેવન સંપૂર્ણપણે બંધ કરવું પણ જોખમી છે. તેથી જ તેને સંતુલિત કરવાની જરૂર છે.
આર્થરાઈટીસમાં આલ્કોહોલનું સેવન પણ ન કરવું જોઇએ. વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી સાંધા અને સ્નાયુઓમાં બળતરા થઈ શકે છે. જો તમે પણ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરો છો તો આજથી જ દૂરી બનાવી લો.
આ સમસ્યામાં હાઈ ઓમેગા-6 અને લો ઓમેગા-3 ફેટ ન લેવું જોઈએ. જેના કારણે સ્નાયુઓમાં બળતરા વધી શકે છે અને ઘણી સમસ્યાઓને જન્મ આપી શકે છે. એટલા માટે આવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
મીઠાનું સેવન ઓછું કરો
આર્થરાઈટિસમાં વધુ પડતા મીઠાનું સેવન ન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. મીઠાના વધુ પડતા સેવનથી હાઈ બીપી, ડાયાબિટીસ અને આર્થરાઈટિસની સમસ્યા વધી શકે છે.
ફેટી ફૂડ
ખોરાકમાં વધુ ચરબીયુક્ત વસ્તુઓ લેવાથી શરીરમાં ચરબીનો સંચય થાય છે જે સ્થૂળતા તરફ દોરી શકે છે. અને શરીરનું વજન વધવાથી સંધિવાની સમસ્યા અચૂક થાય છે.
ખાટા ફૂડને કરો અવોઇડ
ખાટી વસ્તુઓનું સેવન કરવાથી સાંધામાં દુખાવો અને સોજો આવી શકે છે. આર્થરાઈટિસના દર્દીઓએ લીંબુ, નારંગી, દહીં અને છાશનું સેવન ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)