શોધખોળ કરો

Salt Intake: ઓછું મીઠું ખાવું પણ બની શકે છે ખતરનાક, જાણો દરરોજ કેટલી માત્રામાં સેવન શરીર માટે છે યોગ્ય

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, સોડિયમ એક આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ છે, જે કોષોમાં પાણીની માત્રાને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ સિવાય સોડિયમ સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમના કાર્યમાં પણ મદદરૂપ છે.  લોહીમાં ઓછા સોડિયમને કારણે હાયપોનેટ્રેમિયા થાય છે, જેના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય છે.

Sodium Deficiency: સોડિયમનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ જો તમે સોડિયમનું ઓછું સેવન કરો છો તો તે ખતરનાક પણ બની શકે છે. આજકાલ લોકો હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી બચવા માટે ઓછી માત્રામાં સોડિયમનો ઉપયોગ કરે છે, જે બિલકુલ યોગ્ય નથી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, સોડિયમ એક આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ છે, જે કોષોમાં પાણીની માત્રાને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ સિવાય સોડિયમ સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમના કાર્યમાં પણ મદદરૂપ છે.  લોહીમાં ઓછા સોડિયમને કારણે હાયપોનેટ્રેમિયા થાય છે, જેના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય છે.

લોહીમાં સોડિયમ કેટલું હોવું જોઈએ?

નિષ્ણાતોના મતે, લોહીમાં સોડિયમની માત્રા 135 થી 145 મિલી સમકક્ષ પ્રતિ લિટર હોવી જોઈએ. 135 mEq/L કરતા ઓછા સ્તરે, લોહીમાં સોડિયમની ઉણપ શરૂ થાય છે, જે સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી તેની જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
 
જ્યારે લોહીમાં સોડિયમની ઉણપ હોય ત્યારે શું થાય છે?
લોહીમાં સોડિયમની ઉણપ માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ ચિંતા, તણાવ અથવા ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સિવાય થાક, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે. સ્નાયુઓમાં ખેંચાણ પણ સોડિયમની ઉણપની નિશાની છે.

હાયપોનેટ્રેમિયા કેવી રીતે થાય છે?
લોહીમાં સોડિયમની ઉણપ ઘણા કારણોસર થઈ શકે છે. જેઓ ઓછા મીઠાનું સેવન કરે છે તેમાં તેની ઉણપ હોઈ શકે છે. જે લોકોનું શરીર વધારે પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સ ગુમાવે છે તેઓ પણ સોડિયમની ઉણપથી પીડાઈ શકે છે. આ સિવાય ઝાડા કે ઉલટી અને એન્ટીડિપ્રેસન્ટ દવાઓના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે લોહીમાં સોડિયમની ઉણપ થાય છે, જેના કારણે શરીરમાં પાણીની માત્રા વધી જાય છે. તેનાથી બચવા માટે લિક્વિડ ડાયટનું સેવન ઓછું કરવું જોઈએ. મીઠું માત્ર સારી બ્રાન્ડનું જ ખાવું જોઈએ.

સોડિયમની ઉણપને દૂર કરવાની રીતો
જો તમે લોહીમાં સોડિયમની ઉણપથી બચવા માંગતા હોવ તો સૌ પ્રથમ નમક સેવન યોગ્ય માત્રામાં કરી દો. નમકની યોગ્ય માત્રા સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. WHO અનુસાર, દરેક વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ. આની મદદથી તમે ઓછા સોડિયમથી સરળતાથી બચી શકો છો. વધુ પડતું મીઠું ખાવાનું પણ ટાળો, કારણ કે તેનાથી હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget