![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક-બે લાખ નહી, 20 કરોડ ભારતીય હાઇપરટેન્શનના શિકારઃ ICMR
ICMRના રિપોર્ટ અનુસાર તેમાંથી માત્ર 2 કરોડ લોકોનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે
![એક-બે લાખ નહી, 20 કરોડ ભારતીય હાઇપરટેન્શનના શિકારઃ ICMR ICMR says 20 crore Indians suffer from hypertension એક-બે લાખ નહી, 20 કરોડ ભારતીય હાઇપરટેન્શનના શિકારઃ ICMR](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/bf4108fdc6bfc9c869e30b01f00c91f7171768404943974_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ' અનુસાર, ભારતમાં લગભગ 200 મિલિયન એટલે કે 20 કરોડ લોકો હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી પીડિત છે. ICMRના રિપોર્ટ અનુસાર તેમાંથી માત્ર 2 કરોડ લોકોનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે. 'ઈન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા સમાચાર અનુસાર, દિલ્હીની સીકે બિરલા હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન ડાયરેક્ટર ડૉ. રાજીવ ગુપ્તાએ કહ્યું કે આ ખતરનાક બીમારી પાછળ ઘણા કારણો જવાબદાર છે.
અનહેલ્ધી લાઇફસ્ટાઇલ
ખરાબ ડાયટ , વધુ પડતું મીઠું અને ચરબીના કારણે, અનહેલ્ધી ડાયટ અને ઉંઘની ગરબડ અને હાઇ બીપીની સમસ્યા વધે છે.
ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમ
આ પરિસ્થિતિઓ ઘણીવાર હાઈ બ્લડ પ્રેશર સાથે આવે છે. જેના કારણે જોખમ હજુ પણ વધી જાય છે.
જેનેટિકની બીમારી
ખરાબ જીવનશૈલીના કારણે અનેક જેનેટિક બીમારીનો ખતરો રહે છે.
વધતી ઉંમરની વસ્તી
જેમ જેમ ભારતમાં વૃદ્ધોની સંખ્યા વધે છે તેમ તેમ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોની સંખ્યા વધે છે.
હાઈ બીપીના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે
હાયપરટેન્શનથી પીડિત વ્યક્તિઓની સંખ્યા ચિંતાજનક છે કારણ કે આ એક મહત્વપૂર્ણ સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટનો સંકેત છે. ડો. ગુપ્તાના જણાવ્યા અનુસાર, હાઈ બ્લડ પ્રેશર એ સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર અને પેરિફેરલ આર્ટરી ડિસીઝ જેવી જીવલેણ પરિસ્થિતિઓ માટેનું મુખ્ય જોખમ પરિબળ છે.
ICMRના રિપોર્ટ અનુસાર, હાઈ બીપીની સમસ્યા ભારત માટે ગંભીર સમસ્યા છે. આ રોગથી પીડિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાઈ બીપીના શરૂઆતના લક્ષણો ખાસ હોતા નથી. આ જ કારણ છે કે તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. શરૂઆતમાં આ રોગ જ્યાં સુધી ગંભીર ન બને ત્યાં સુધી ખબર પડતી નથી. હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગ, સ્ટ્રોક, કિડનીને નુકસાન અને આંખોની સમસ્યાઓ જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
આ રોગને કેવી રીતે નિયંત્રિત કરવો
હેલ્ધી ડાયટ
ઓછા મીઠાવાળો ખોરાક લો. આ ઉપરાંત પુષ્કળ ફળો, શાકભાજી અને આખા અનાજ ખાઓ. ઓછી ચરબી અને કોલેસ્ટ્રોલ હોય તેવો ખોરાક ખાવ
કસરત
અઠવાડિયામાં ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો.
વજન ઘટાડો
જો તમારે વજન ઓછું કરવું હોય તો અવશ્ય પ્રયાસ કરો.
તણાવ ઓછો કરો
તણાવ ઓછો કરવા માટે યોગ, ધ્યાન અથવા ઊંડા શ્વાસ લો.
આ બીમારીને લઇને દર્દીઓએ જાગૃત રહેવાની જરૂર છે. ભારતમાં આ રોગ એક દાયકા અગાઉ થઇ જાય છે. આનો અર્થ એ છે કે અન્ય દેશોમાં જે ઉંમરે આ રોગ થાય છે તેની સરખામણીમાં ભારતમાં લોકોને આ રોગ 10 વર્ષ વહેલો થાય છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)