શોધખોળ કરો

Fridge Keeping Tips: ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવું જોઈએ? નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

Fridge Keeping Tips: :ખોટી જગ્યાએ મુકાયેલ રેફ્રિજરેટર વધુ વીજળી વાપરે છે, તેની ઠંડક ઓછી થઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં, વધુ ગરમ થવાને કારણે, શોર્ટ સર્કિટ અથવા આગનું જોખમ પણ વધી જાય છે.

Fridge Keeping Tips:ઘરમાં જગ્યા બચાવવા માટે ઘણા લોકો ફ્રિજને કોઈપણ ખૂણામાં અથવા દીવાલને અડકીને મૂકી દે છે. આ સામાન્ય બાબત લાગતી હોય છે, પરંતુ આવી નાની ભૂલ આગળ જઈને મોટી સમસ્યા નું કારણ બની શકે છે. ખોટી જગ્યાએ રાખેલો ફ્રિજ વધુ વીજળી વાપરે છે, તેની કૂલિંગ ક્ષમતા ઘટે છે અને કેટલાક કિસ્સાઓમાં ઓવરહીટિંગને કારણે શોર્ટ સર્કિટ અથવા આગ લાગવાનો ખતરો પણ વધી શકે છે.

આજના સમયમાં લગભગ દરેક ઘરમાં ફ્રિજનો ઉપયોગ થાય છે, પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે બહુ ઓછા લોકોને જાણ હોય છે. જો તમે પણ તમારા ઘરમાં ફ્રિજનો ઉપયોગ કરો છો, તો તેને દીવાલથી કેટલી દૂર રાખવો જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણવું જરૂરી છે. જેથી તમારૂ ફ્રિજ લાંબા સમય સુધી સુરક્ષિત અને સારી રીતે કાર્ય કરતો રહે.

ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવો જોઈએ?
ઘણા લોકો જગ્યા બચાવવા માટે ફ્રિજને દીવાલને અડકીને મૂકી દે છે, પરંતુ નિષ્ણાતો આવું કરવાની સલાહ આપતા નથી. ફ્રિજની પાછળ કમ્પ્રેસર અને કન્ડેન્સર કૉઇલ્સ હોય છે, જે મશીનમાંથી નીકળતી ગરમીને બહાર કાઢવાનું કામ કરે છે.

જો તેની આસપાસ પૂરતી જગ્યા ન હોય તો ગરમ હવા બહાર નીકળી શકતી નથી અને મશીન વધુ ગરમ થવા લાગે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફ્રિજને દીવાલથી ઓછામાં ઓછું 5 થી 10 સેન્ટીમીટર (લગભગ 2 થી 4 ઇંચ) દૂર રાખવો જોઈએ. ઉપરાંત, ફ્રિજની બંને બાજુએ પણ ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનું અંતર હોવું જરૂરી છે. ફ્રિજની ઉપર પણ પૂરતી ખુલ્લી જગ્યા હોવી જોઈએ જેથી હવાનો પ્રવાહ જળવાઈ રહે.

ફ્રિજને દીવાલ સાથે અડકીને રાખવાથી શું નુકસાન થઈ શકે?
જ્યારે ફ્રિજની પાછળ પૂરતી જગ્યા નથી હોતી ત્યારે તેની ગરમી બહાર નીકળી શકતી નથી. પરિણામે કમ્પ્રેસરને સતત વધુ મહેનત કરવી પડે છે. તેના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે:

વીજળીનો ખર્ચ વધી શકે છે

કૂલિંગ ક્ષમતા ઘટી શકે છે

કમ્પ્રેસર વહેલું ખરાબ થઈ શકે છે

ફ્રિજની આયુષ્ય ઘટી શકે છે

ઓવરહીટિંગની સમસ્યા સર્જાઈ શકે છે

શોર્ટ સર્કિટ અથવા આગ લાગવાનો ખતરો વધી શકે છે

આ કારણે નિષ્ણાતો હંમેશા ફ્રિજની આસપાસ પૂરતી ખુલ્લી જગ્યા રાખવાની સલાહ આપે છે.


ઉનાળામાં કેમ વધી જાય છે જોખમ?
ઉનાળાની ઋતુમાં તાપમાન પહેલેથી જ વધારે હોય છે. આવી સ્થિતિમાં ફ્રિજને અંદરનું તાપમાન ઠંડું રાખવા માટે વધુ મહેનત કરવી પડે છે. જો ફ્રિજ દીવાલને અડકીને મૂકવામાં આવ્યો હોય અથવા તેની આસપાસ હવાનો યોગ્ય પ્રવાહ ન હોય, તો મશીન વધુ ગરમ થઈ શકે છે.

સતત ઓવરહીટિંગ થવાથી ફ્રિજના ઇલેક્ટ્રિકલ ભાગો પર અસર પડી શકે છે અને ફ્રિજ યોગ્ય રીતે કામ કરવાનું બંધ પણ કરી શકે છે. ફ્રિજ રાખવા માટે સૌથી યોગ્ય જગ્યા કઈ છે?

ફ્રિજને હંમેશા એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં:

સીધો સૂર્યપ્રકાશ ન પડતો હોય

ગેસ સ્ટોવ અથવા ઓવનની ગરમી ન પહોંચતી હોય

હવાનો સારો પ્રવાહ રહેતો હોય

દીવાલથી યોગ્ય અંતર જાળવવામાં આવ્યું હોય

આવી જગ્યાએ રાખવાથી ફ્રિજ વધુ સારી કૂલિંગ આપે છે, વીજળીની બચત થાય છે અને તેની કાર્યક્ષમતા તથા આયુષ્ય બંને વધે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fridge Keeping Tips: ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવું જોઈએ? નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Fridge Keeping Tips: ફ્રિજને દીવાલથી કેટલી દૂર રાખવું જોઈએ? નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Advertisement

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget