શોધખોળ કરો

Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે

Leftover Roti Breakfast: ઘણા લોકો રાત્રે વધેલી રોટલીઓને સવારે ફેંકી દેતા હોય છે, પરંતુ જો તમે ઈચ્છો તો આ જ રોટલીઓમાંથી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો બનાવી શકો છો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વધેલી રોટલીના ટુકડા કરી, તેલમાં જીરું-ડુંગળી સાંતળો.
  • સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરી, રોટલી મિક્સ કરો.
  • ધીમા તાપે પકવી, કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
  • ચીઝ-પનીર કે સીંગદાણા ઉમેરી સ્વાદ વધારી શકાય.

Leftover Roti Breakfast: ઘણા લોકો રાત્રે વધેલી રોટલીઓને સવારે ફેંકી દેતા હોય છે, પરંતુ જો તમે ઈચ્છો તો આ જ રોટલીઓમાંથી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો બનાવી શકો છો. આ નાસ્તો બનાવવામાં વધુ સમય લાગતો નથી અને બાળકો પણ તેને ખૂબ જ મોજથી ખાશે. જો તમારા ઘરમાં પણ રોટલીઓ વધી જતી હોય તો આ સરળ રેસિપી એકવાર ચોક્કસ ટ્રાય કરવી જોઈએ. આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ 2 થી 3 વધેલી રોટલીઓ લઈને તેના નાના-નાના ટુકડા કરી લો. ત્યારબાદ એક પેનમાં 1 થી 2 ચમચી તેલ અથવા ઘી ગરમ કરો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં થોડું જીરું ઉમેરો. જીરું સાંતળાઈ જાય એટલે તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરીને આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં બારીક સમારેલાં લીલાં મરચાં અને કેપ્સિકમ ઉમેરી 2 થી 3 મિનિટ સુધી સારી રીતે સાંતળો. જો ઘરમાં વટાણા, ગાજર, સ્વીટ કોર્ન કે ફણસી જેવી શાકભાજીઓ હોય તો તેને પણ ઉમેરી શકાય છે, જેનાથી નાસ્તો વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે.

 

હવે શાકભાજીમાં અડધી ચમચી હળદર, થોડું લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને થોડો ચાટ મસાલો ઉમેરો. જો તમને હળવો મસાલેદાર સ્વાદ પસંદ હોય તો થોડો કાળામરચીનો પાવડર પણ ઉમેરી શકો છો. મસાલાને શાકભાજી સાથે સારી રીતે ભેળવી દીધા બાદ રોટલીના ટુકડા પેનમાં ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. હવે તેને 3 થી 4 મિનિટ સુધી ધીમા તાપે પકવો જેથી મસાલાનો સ્વાદ રોટલીમાં સારી રીતે બેસી જાય. છેલ્લે બારીક સમારેલી લીલી કોથમીર છાંટો. જો બાળકોને ચીઝ કે પનીર પસંદ હોય તો ઉપરથી થોડું છીણેલું પનીર અથવા ચીઝ પણ ઉમેરી શકો છો, જેનાથી તેનો સ્વાદ બેગણો થઈ જશે.

આ પણ વાંચો...'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર

આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ, લીલી ચટણી કે દહીં સાથે પીરસી શકો છો. ઈચ્છો તો ઉપરથી થોડો લીંબુનો રસ પણ નીચોવી શકાય છે, જેનાથી સ્વાદ વધુ તાજો અને મજેદાર લાગશે. તેમાં થોડો શેકેલો સીંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકાય છે, જેથી નાસ્તામાં સરસ ક્રંચી સ્વાદ આવશે. સવારે ઉતાવળમાં ઓફિસ કે સ્કૂલે જતી વખતે આ નાસ્તો ખૂબ જ ઉત્તમ વિકલ્પ છે. આ રેસિપીની સૌથી ખાસ વાત એ છે કે તેનાથી વધેલી રોટલીઓનો યોગ્ય ઉપયોગ થાય છે, અન્નનો બગાડ થતો નથી અને મિનિટોમાં પૌષ્ટિક વાનગી તૈયાર થઈ જાય છે.

Frequently Asked Questions

વધેલી રોટલીમાંથી કયો નાસ્તો બનાવી શકાય છે?

રાત્રે વધેલી રોટલીઓમાંથી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો બનાવી શકાય છે. આ નાસ્તો બનાવવામાં વધુ સમય લાગતો નથી અને બાળકો પણ તેને મોજથી ખાશે.

આ નાસ્તામાં કઈ શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે?

નાસ્તામાં ડુંગળી, લીલા મરચાં અને કેપ્સિકમ ઉમેરી શકાય છે. વટાણા, ગાજર, સ્વીટ કોર્ન કે ફણસી જેવી શાકભાજી પણ ઉમેરી શકાય છે જેથી નાસ્તો વધુ પૌષ્ટિક બને.

વધેલી રોટલીના નાસ્તાને વધુ સ્વાદિષ્ટ બનાવવા શું ઉમેરી શકાય?

બાળકોને પસંદ હોય તો છીણેલું પનીર કે ચીઝ ઉમેરી શકાય છે. સ્વાદને તાજો બનાવવા લીંબુનો રસ અને ક્રંચી સ્વાદ માટે શેકેલો સીંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકાય.

આ નાસ્તો પીરસવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે?

આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ, લીલી ચટણી કે દહીં સાથે પીરસી શકો છો. ઈચ્છો તો ઉપરથી થોડો લીંબુનો રસ પણ નીચોવી શકાય છે.

વધેલી રોટલીનો નાસ્તો શા માટે બનાવવો જોઈએ?

આ નાસ્તો વધેલી રોટલીઓનો યોગ્ય ઉપયોગ કરે છે, જેથી અન્નનો બગાડ થતો નથી. તે મિનિટોમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરે છે, જે સવારે ઉતાવળમાં ઉત્તમ વિકલ્પ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Advertisement

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget