શોધખોળ કરો

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

આ સર્ટિફિકેટ તમારી પ્રોપર્ટી સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે, તે તમને અન્ય ઘણા ફાયદા પણ આપે છે.

જમીન અને સંપત્તિ જીવનમાં વારંવાર ખરીદવામાં આવતી નથી અને લોકોના સમગ્ર જીવનની કમાણી તેને બનાવવામાં ખર્ચાઇ જાય છે. આવી સ્થિતિમાં જો મહિલાઓ પાસે આ પ્રમાણપત્ર નથી, તો તેઓ તેમના સંપત્તિના અધિકારો ગુમાવી શકે છે. આ સિવાય તમારે બેન્કિંગથી લઈને જીવનમાં અનેક બાબતોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી પરિણીત મહિલાઓએ આ સર્ટિફિકેટ જરૂર બનાવી લેવું જોઇએ. અહીં અમે લગ્નના પ્રમાણપત્રની વાત કરી રહ્યા છીએ. ભલે તમે કોઈપણ ધર્મના રીતિ-રિવાજો અને પરંપરાઓ અનુસાર લગ્ન કર્યા હોય. તમારે તમારા લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઇએ. મેરેજ સર્ટિફિકેટ તમારી પ્રોપર્ટી સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે, તે તમને અન્ય ઘણા ફાયદા પણ આપે છે.

પ્રોપર્ટી રાઇટ્સને  સુરક્ષિત રાખે છે મેરેજ સર્ટિફિકેટ

જો તમે પરિણીત મહિલા છો અને હજુ સુધી તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ નથી તો પછી તમારે તેને શક્ય તેટલી વહેલી તકે બનાવવું જોઈએ. જો તમારી પાસે આ પ્રમાણપત્ર નથી તો તમારા પતિના મૃત્યુ પછી તમને મિલકતના અધિકારોની માંગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત મેરેજ સર્ટિફિકેટ નહી હોય તો સાસરિયા તેનો ફાયદો ઉઠાવી શકે છે. તેઓ લગ્નને ગેરકાયદેસર જાહેર કરી શકે છે અને મહિલાને તેના હકની મિલકતમાંથી બાકાત કરી શકે છે.

ભારતમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. પરંતુ મેરેજ સર્ટિફિકેટ લગ્નને કાયમી કાનૂની માન્યતા આપે છે. આજકાલ મોટાભાગના નવા પરિણીત યુગલો લગ્નનું પ્રમાણપત્ર મેળવે છે. જ્યારે દેશની અનેક મહિલાઓને મેરેજ સર્ટિફિકેટના ફાયદાઓ ખ્યાલ નથી. મેરેજ સર્ટિફિકેટ એ મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ લગ્ન પછી તેમની અટક બદલતી નથી.

હિંદુ મેરેજ એક્ટ-1955ની કલમ 8 મુજબ હિંદુ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. જો કે, દરેક રાજ્યમાં આ જરૂરી નથી અને કલમ 8 મુજબ લગ્ન નોંધણી વગર પણ માન્ય ગણવામાં આવે છે, કારણ કે હિંદુ લગ્નની માન્યતા તેમના ધાર્મિક વિધિઓ અને રિવાજો પર આધારિત છે. જેમાં સાત ફેરા લેવા, મંગળસૂત્ર પહેરવા વગેરેનો સમાવેશ થાય છે.

લગ્નનું પ્રમાણપત્ર ન હોવાના અન્ય ગેરફાયદા

ઇટીના રિપોર્ટ અનુસાર, જો તમારી પાસે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નથી તો તમારા લગ્નની માન્યતા પર કોઈ અસર થતી નથી, પરંતુ તેનાથી ઘણાં નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે ઘરેલુ હિંસા, ત્રાસ અથવા વૈવાહિક બળાત્કાર વગેરેના કિસ્સામાં કેસ નોંધવામાં મુશ્કેલી આવી શકે છે. તમારે પાસપોર્ટ મેળવવામાં, વિદેશમાં સ્થાયી થવા અને મુસાફરી દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget