શોધખોળ કરો

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

આ સર્ટિફિકેટ તમારી પ્રોપર્ટી સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે, તે તમને અન્ય ઘણા ફાયદા પણ આપે છે.

જમીન અને સંપત્તિ જીવનમાં વારંવાર ખરીદવામાં આવતી નથી અને લોકોના સમગ્ર જીવનની કમાણી તેને બનાવવામાં ખર્ચાઇ જાય છે. આવી સ્થિતિમાં જો મહિલાઓ પાસે આ પ્રમાણપત્ર નથી, તો તેઓ તેમના સંપત્તિના અધિકારો ગુમાવી શકે છે. આ સિવાય તમારે બેન્કિંગથી લઈને જીવનમાં અનેક બાબતોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી પરિણીત મહિલાઓએ આ સર્ટિફિકેટ જરૂર બનાવી લેવું જોઇએ. અહીં અમે લગ્નના પ્રમાણપત્રની વાત કરી રહ્યા છીએ. ભલે તમે કોઈપણ ધર્મના રીતિ-રિવાજો અને પરંપરાઓ અનુસાર લગ્ન કર્યા હોય. તમારે તમારા લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઇએ. મેરેજ સર્ટિફિકેટ તમારી પ્રોપર્ટી સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે, તે તમને અન્ય ઘણા ફાયદા પણ આપે છે.

પ્રોપર્ટી રાઇટ્સને  સુરક્ષિત રાખે છે મેરેજ સર્ટિફિકેટ

જો તમે પરિણીત મહિલા છો અને હજુ સુધી તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ નથી તો પછી તમારે તેને શક્ય તેટલી વહેલી તકે બનાવવું જોઈએ. જો તમારી પાસે આ પ્રમાણપત્ર નથી તો તમારા પતિના મૃત્યુ પછી તમને મિલકતના અધિકારોની માંગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘણી વખત મેરેજ સર્ટિફિકેટ નહી હોય તો સાસરિયા તેનો ફાયદો ઉઠાવી શકે છે. તેઓ લગ્નને ગેરકાયદેસર જાહેર કરી શકે છે અને મહિલાને તેના હકની મિલકતમાંથી બાકાત કરી શકે છે.

ભારતમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. પરંતુ મેરેજ સર્ટિફિકેટ લગ્નને કાયમી કાનૂની માન્યતા આપે છે. આજકાલ મોટાભાગના નવા પરિણીત યુગલો લગ્નનું પ્રમાણપત્ર મેળવે છે. જ્યારે દેશની અનેક મહિલાઓને મેરેજ સર્ટિફિકેટના ફાયદાઓ ખ્યાલ નથી. મેરેજ સર્ટિફિકેટ એ મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ લગ્ન પછી તેમની અટક બદલતી નથી.

હિંદુ મેરેજ એક્ટ-1955ની કલમ 8 મુજબ હિંદુ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. જો કે, દરેક રાજ્યમાં આ જરૂરી નથી અને કલમ 8 મુજબ લગ્ન નોંધણી વગર પણ માન્ય ગણવામાં આવે છે, કારણ કે હિંદુ લગ્નની માન્યતા તેમના ધાર્મિક વિધિઓ અને રિવાજો પર આધારિત છે. જેમાં સાત ફેરા લેવા, મંગળસૂત્ર પહેરવા વગેરેનો સમાવેશ થાય છે.

લગ્નનું પ્રમાણપત્ર ન હોવાના અન્ય ગેરફાયદા

ઇટીના રિપોર્ટ અનુસાર, જો તમારી પાસે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નથી તો તમારા લગ્નની માન્યતા પર કોઈ અસર થતી નથી, પરંતુ તેનાથી ઘણાં નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે ઘરેલુ હિંસા, ત્રાસ અથવા વૈવાહિક બળાત્કાર વગેરેના કિસ્સામાં કેસ નોંધવામાં મુશ્કેલી આવી શકે છે. તમારે પાસપોર્ટ મેળવવામાં, વિદેશમાં સ્થાયી થવા અને મુસાફરી દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Embed widget