શોધખોળ કરો

આમ આદમી પાર્ટીને ઝટકો! કિશાન સંગઠનના 19 જેટલા હોદ્દેદારો અને 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

આમ આદમી પાર્ટીના કિશાન સંગઠનના 19 જેટલા હોદ્દેદારો આજે કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે 200 જેટલા આપના કાર્યકરો પણ કોંગ્રેસ સાથે જોડાયા છે. કોંગ્રેસના પ્રવકતા કહ્યું કે, આપના કાર્યકરો AAPથી કંટાળી ગયા છે.

અમદાવાદ:  આમ આદમી પાર્ટીના કિશાન સંગઠનના 19 જેટલા હોદ્દેદારો આજે કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે 200 જેટલા આપના કાર્યકરો પણ કોંગ્રેસ સાથે જોડાયા છે.  આ બાબતે કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે જણાવ્યું કે, આપના નેતાઓ દાવો કરે છે કે આ લોકોને સસ્પેન્ડ કાર્ય હતા. પરંતુ હકીકતમાં એક પણ હોદ્દેદારોને લેટર આપીને સસ્પેન્ડ નથી કર્યા, માત્ર પોતાની ઓફિસની ફાઈલમાં ટાઇપ કરેલો લેટર મૂકી રાખ્યો હતો. વિવિધ જિલ્લાના આપના કાર્યકરો AAPથી કંટાળી ગયા છે કેમકે AAPની કોઈ વિચારધારા જ નથી. આગામી દિવસોમાં પણ આપમાંથી વધુ લોકો કોંગ્રેસમાં જોડાશે.

આમ આદમી પાર્ટીએ કાર્યાલયની માગ કરી

રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના બે કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્યારે હવે આ કોર્પોરેટરોએ મહાનગરપાલિકાની કચેરીમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય મળે તેવી માંગ કરી છે. પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ પણ વિપક્ષી પાર્ટી છે અને અમે તેના કોર્પોરેટર છે તો લોકોની રજૂઆત સાંભળવા માટે એક કાર્યાલય મળવું જોઈએ.

નોંધનીય છે કે રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષમાં માત્ર ચાર કોર્પોરેટરો જ હતા. જેમાં થી કોંગ્રેસના ચાર કોર્પોરેટરો પૈકી બે કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ જતાં બે કોંગ્રેસના અને બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો મહાનગરપાલિકા હાલ છે. પાર્ટી સાથે વિગ્રહ કરનાર અને આમ આદમી પાર્ટીમાં જોડાનાર બંને કોર્પોરેટર અને કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે ત્યારે આ નોટિસ અંગે જવાબ આપતા કોર્પોરેટર વશરામ સાગઠિયા જણાવ્યું હતું કે હજુ સુધી તેમના ઘરે નોટીસ મળી નથી. તેમને માત્ર વોટ્સએપમાં જ નોટિસ મળી છે. જોકે આ નોટિસનો જવાબ આપવાનું જરૂરી ન લાગતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા લડશે ચૂંટણી

જેલમાંથી જામીન પર છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીજા જ દિવસે એક મોટી જાહેરાત કરી છે. યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે સંગઠન, સમિતિ કે કોઈ પક્ષ કહેશે બાદમાં તેઓ ચૂંટણી લાડવાનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મને લાગશે તો ચૂંટણી લડશે. આ સાથે જ યુવરાજસિંહ જાડેજાએ નવા સંગઠનની જાહેરાત કરી છે. યુવરાજસિંહે નવા સંગઠન યુવા નવનિર્માણ સેનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોના અધિકાર માટે યુવા નવનિર્માણ સેના કામ કરશે. તેમણે કહ્યું કે યુવાનોના હક્ક, હિત અને અધિકાર માટે કામ કરતો રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
વધુ એક યુદ્ધના ભણકારાઃ પહેલા હુમલાની ધમકી, હવે હવાઈ ક્ષેત્ર બંધ...  ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
વધુ એક યુદ્ધના ભણકારાઃ પહેલા હુમલાની ધમકી, હવે હવાઈ ક્ષેત્ર બંધ... ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
SIR Form Correction: શું SIR ફોર્મમાં ભૂલ થઈ ગઈ? ગભરાશો નહીં! સબમિટ થયા પછી પણ આ રીતે થશે સુધારો
SIR Form Correction: શું SIR ફોર્મમાં ભૂલ થઈ ગઈ? ગભરાશો નહીં! સબમિટ થયા પછી પણ આ રીતે થશે સુધારો
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં પોષણની કમી કેમ ?
Hun To Bolish | હું તો બોલીશ | દબાણ હોય તો હટવું જ જોઈએ
Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
વધુ એક યુદ્ધના ભણકારાઃ પહેલા હુમલાની ધમકી, હવે હવાઈ ક્ષેત્ર બંધ...  ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
વધુ એક યુદ્ધના ભણકારાઃ પહેલા હુમલાની ધમકી, હવે હવાઈ ક્ષેત્ર બંધ... ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
SIR Form Correction: શું SIR ફોર્મમાં ભૂલ થઈ ગઈ? ગભરાશો નહીં! સબમિટ થયા પછી પણ આ રીતે થશે સુધારો
SIR Form Correction: શું SIR ફોર્મમાં ભૂલ થઈ ગઈ? ગભરાશો નહીં! સબમિટ થયા પછી પણ આ રીતે થશે સુધારો
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Weather Update:રાજયમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બર પછી તૂટી જશે મહાયુતિ ગઠબંધન? એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે કહ્યું - ‘હવે ભાજપ જ....’
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
Cyclone : દિત્વાહ વાવાઝોડાને લઇને મોટું અપડેટસ, આ રાજ્યોમાં એલર્ટ, સ્કૂલ કોલેજ બંધ
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
1 December New Rules: પેન્શનથી લઈને ગેસ સિલિન્ડર સુધી... 1 તારીખથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
PSU Bank Merger: તમારું એકાઉન્ટ કઈ બેંકમાં છે? આ 6 બેંકો 'પતનની આરે', સરકાર દ્વારા મર્જરની મોટી તૈયારી!
Embed widget