શોધખોળ કરો
જનતા કર્ફ્યૂ બાદ આજે પહેલીવાર ગુજરાતની આ યુનિવર્સિટી વહીવટી કામ માટે ખુલશે, જાણો
લોકડાઉન 4માં ગુજરાત સરકારે રાજ્યમાં ઘણી છૂટ આપી છે ત્યારે આજથી ગુજરાત યુનિવર્સિટી રાબેતા મુજબ શરૂ થઈ છે.

લોકડાઉન 4માં ગુજરાત સરકારે રાજ્યમાં ઘણી છૂટ આપી છે ત્યારે આજથી ગુજરાત યુનિવર્સિટી રાબેતા મુજબ શરૂ થઈ છે. આજથી 33 ટકા સ્ટાફ સાથે યુનિવર્સિટીમાં વહીવટી કામકાજની શરૂઆત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, માત્ર એક જ પ્રવેશ દ્વાર પરથી પ્રવેશ અને તકેદારી સાથે કામ શરૂ કરવામાં આવશે. લોકડાઉન 4માં આજથી 33 ટકા સ્ટાફ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી કામકાજની શરૂઆત થઈ ગઈ છે. વહીવટી વિભાગમાં જે તે વિભાગના હેડ અને કર્મચારીઓની હાજરીમાં વહીવટી કામ થશે. જનતા કર્ફ્યુ બાદ આજે પહેલીવાર યુનિવર્સિટી કેમ્સપ વહીવટી કામ માટે ખુલશે. માત્ર એક જ પ્રવેશ દ્વાર પરથી પ્રવેશ અને તકેદારી સાથે કામ શરૂ કરવામાં આવશે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















