શોધખોળ કરો

Ahmedabad Corona : શહેરમાં કોરોના વકરતા તંત્ર એલર્ટ, ST અને રેલવે સ્ટેશન પર મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ

શહેરમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે. અમદાવાદમાં કુલ 207 જેટલા કેસ એક્ટિવેટ છે. ગઈ કાલે અમદાવાદમાં 44 કેસ નોંધાયા હતા.

અમદાવાદઃ શહેરમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે. અમદાવાદમાં કુલ 207 જેટલા કેસ એક્ટિવેટ છે. ગઈ કાલે અમદાવાદમાં 44 કેસ નોંધાયા હતા. ત્યારે હવે અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશને કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. આવતા-જતાં મુસાફરોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. Amcના આરોગ્ય વિભાગે માસ્ક પહેરવાની અપીલ કરી છે. 

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશન સર્તક બન્યું છે. મંગળવારે રાજ્યમાં નોંધાયેલા 72 કેસ પૈકી 44 કેસ એટલે કે 60 ટકા કેસ તો માત્ર અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે. કોરોનાના કેસ વધતા આજથી શહેરના એસટી અને રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તો AMCએ માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરી છે.

હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. છેલ્લા સાત દિવસમાં જ અમદાવાદ શહેરમાં 217 કેસ નોંધાયા છે. 1 જૂનના રોજ અમદાવાદ શહેરમાં 21 કેસ હતા. જે બમણા થઈને 44 થઈ ગયા છે. કોર્પોરેશનને 1 જૂનથી 5 જૂન સુધીમાં વિવિધ સેંટરો ઉપર કુલ મળીને 8 હજાર 226 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા. જેમાંથી 142 લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા.

રાહતની વાત છે એ કે હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા સિંગલ ડિજિટમાં જ છે. 3 જૂનથી પાંચ જૂન સુધીમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના માત્ર 2 દર્દીઓ સારવાર હેઠળ હતા. હાલમાં અમદાવાદમાં 201 એક્ટિવ કેસ છે.

જો કે મોટાભાગના તમામ દર્દીઓ હોમ આઈસોલેસનમાં જ છે. જો આ જ ગતિથી સંક્રમણ વધતુ રહેશે તો નજીકના દિવસોમાં માસ્ક માટે કડકાઈથી અમલ શરૂ થવાની સંભાવના છે.

રાજ્યમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 72 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા છે. આ સાથે જ  53 દર્દી સાજા થયા છે. સંક્રમણથી એક પણ મોત નથી થયું.  બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 43,858 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 363 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 363 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,280 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 44, વડોદરા કોર્પોરેશન તથા સુરત કોર્પોરેશનમાં 7-7, રાજકોટ કોર્પોરેશન 3, અરવલ્લી- વલસાડમાં 2-2, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, મહેસાણા, રાજકોટ અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
Advertisement

વિડિઓઝ

Surat news : સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક.
Gujarat Rain Forecast : રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય, સાત દિવસ ધોધમાર વરસાદની આગાહી
AAP MLA Chaitar Vasava detained : ચૈતર વસાવાની અટકાયત સમયે સમર્થકો-પોલીસ વચ્ચે ઘર્ષણ
Himachalpradesh News:  ભારે વરસાદ અને પૂરના કારણે 69 લોકોના મોત, 100થી વધુ રસ્તાઓ બંધ
Gujarat Rain Alert: ગુજરાતના કયા જિલ્લામાં કયું એલર્ટ? | Abp Asmita
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
Ambalal Patel: અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ કરી આગાહી 
Ambalal Patel: અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ કરી આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
‘મહારાષ્ટ્રમાં ભરત મિલાપ’,20 વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુંકાર,'બાળાસાહેબ જે ન કરી શક્યા, તે ફડણવીસે કરી બતાવ્યું...',
‘મહારાષ્ટ્રમાં ભરત મિલાપ’,20 વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુંકાર,'બાળાસાહેબ જે ન કરી શક્યા, તે ફડણવીસે કરી બતાવ્યું...',
ઈન્કમટેક્સ વિભાગે લોન્ચ કર્યું TAXASSIST, ITR ફાઇલ કરવામાં કરશે મદદ, જાણો કેવી રીતે?
ઈન્કમટેક્સ વિભાગે લોન્ચ કર્યું TAXASSIST, ITR ફાઇલ કરવામાં કરશે મદદ, જાણો કેવી રીતે?
Embed widget