શોધખોળ કરો

Air India Plane Crash: અમદાવાદ એરપોર્ટ નજીક વિમાન ક્રેશ, એર ઈન્ડિયાએ સત્તાવાર માહિતી આપી, જાણો કેટલા યાત્રી હતા સવાર

એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું, ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્લેનમાં હોવાના અહેવાલ; બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ

Air India reaction Ahmedabad crash: અમદાવાદ, ગુજરાતથી લંડન (ગેટવિક) જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI171 આજે, ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ અમદાવાદ એરપોર્ટ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ વિમાનમાં આશરે ૨૪૨ જેટલા લોકો (૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો) સવાર હતા. આ ઘટનાને પગલે એર ઈન્ડિયા દ્વારા સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે.

એર ઈન્ડિયાનું નિવેદન:

એર ઈન્ડિયાએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને આ અકસ્માત અંગે માહિતી આપી છે. પોસ્ટમાં જણાવાયું છે કે, "અમદાવાદ-લંડન ગેટવિક ઉડતી ફ્લાઇટ AI171 આજે, ૧૨ જૂન ૨૦૨૫ ના રોજ ક્રેશ થઈ ગઈ. અમે હાલમાં વધુ માહિતી શોધી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે તેને airindia.com પર શેર કરીશું."

બચાવ અને રાહત કામગીરી:

આ ભયાનક દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડના તમામ વાહનો અને અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં ૫૦ થી વધુ એમ્બ્યુલન્સ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે સક્રિય છે.

સરકારી તંત્ર સક્રિય:

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી હતી. અમિત શાહે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તાત્કાલિક મુખ્ય સચિવ અને સંબંધિત વરિષ્ઠ સચિવોને ફોન કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થા અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં હોવાના અહેવાલ:

મળતી માહિતી મુજબ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ દુર્ભાગ્યપૂર્ણ ફ્લાઇટમાં સવાર હોવાના અહેવાલ છે, જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાને પગલે અમદાવાદમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Embed widget