શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદના ઠક્કરબાપા નગરમાં ભાજપના નેતા પર હુમલો, જાણો સમગ્ર માહિતી

અમદાવાદ: ઠક્કરબાપા નગરના ભાજપના SC મોરચાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી પર હુમલો થયો છે.  અસામાજીક તત્વોએ તેમના પર હુમલો કર્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઘર નજીક કેટલાક લોકો ગાળો બોલતા હતા.

અમદાવાદ: ઠક્કરબાપા નગરના ભાજપના SC મોરચાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી પર હુમલો થયો છે.  અસામાજીક તત્વોએ તેમના પર હુમલો કર્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઘર નજીક કેટલાક લોકો ગાળો બોલતા હતા. જેને લઈને તેને ટપારતા તેઓએ અચાનક હુમલો કરી દીધો હતો. ચીમનભાઈ અને તેમના પત્નીને અસામાજીક તત્વોએ અપશબ્દો બોલ્યા હતા. જો કે, હાલ આ અંગે કોઈ પોલીસ ફરીયાદ થઈ નથી. મળતી માહિતી પ્રમાણે આવતી કાલે પોલીસ ફરીયાદ નોંધાવશે ચીમનભાઈ.

ભારતીય સેનામાં ફરજ બજાવતો ગુજરાતનો જવાન શહીદ

અમરેલી: 16 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતો ગુજરાતનો જવાન શહિદ થયો છે. આજે તેનો પાર્થિવદેહ ગુજરાત લાવવામાં આવ્યો હતો. આ અંગે વિગતે વાત કરીએ તો, અમરેલી જિલ્લાનો વીર શહીદ મનીષ મહેતા ફરજ કાળ દરમિયાન આસામથી રાજસ્થાન જતી વેળા રેલવેમાં રાખેલા આર્મીના પાણીના ટેન્કરમાં અકસ્માતે શોક લાગતા શહીદ થયો હતો. આજે વીર શહીદનો પાર્થિવ દેહ અમરેલી ખાતે પહોંચતા રાષ્ટ્રપ્રેમીઓ વીર શહીદ મહેતાને પુષ્પાંજલિ અર્પણ કરવા ઉમટી પડ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે સદગત શહીદનો પાર્થિવ દેહ નિવાસ્થાને પહોંચતા શહીદના પરિજનોના હૈયા ફાટ રુદન જોઈને કઠણ હૃદયના કાળજાના માનવીઓના પણ આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા.

આન બાન અને શાન સાથે વીર શહીદ મનીષ મહેતાનો પાર્થિવદેહ આર્મીની બટાલિયન દ્વારા અમરેલી ખાતે લાવવામાં આવ્યો હતો. અહીં હજારો લોકોએ વીર શહીદના પાર્થિવ દેહને નમન કરી શ્રદ્ધાંજલિ આપી. અમરેલી હનુમાન પરા નિવાસસ્થાન ખાતે પુરા આદર અને રાષ્ટ્ર ધ્વજના પુરા સન્માન સાથે પાર્થિવ દેહ પહોંચ્યો ત્યારે સદગત શહીદને શોકાંજલિ પાઠવા માટે સહકારી ક્ષેત્રના નેતા દિલીપ સંઘાણી, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના ચેરમેન વિપુલ દુધાત સહિત હજારો અમરેલીવાસીઓ સદગત શહીદના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

મનીષ મહેતા 16 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા

નિવાસસ્થાનની આજુબાજુની અગાસીઓ પણ શહીદના અંતિમ દર્શન માટે આંખો બીછાવીને રાહ જોઈ રહ્યા હતા. વીર શહીદ મનીષ મહેતા 16 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. સદગતના પરિવારમાં બે પુત્ર રત્ન છે. એક દોઢ વર્ષ અને એક સાત વર્ષના પુત્રોએ સદગત વીર શહીદ મનીષ મહેતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શહીદના ઘરનું વાતાવરણ રાષ્ટ્રભાવના ઓથી છલકાતું હોય તેમ સદગત શહીદના મોટા ભાઈ શહીદના પાર્થિવ દેહને જોઈને સેલ્યુટ મારી વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ લગાવ્યા હતા. આંખોમાં ભાઈનું વીરગતિનું દુઃખ હતું અને હૃદયમાં રાષ્ટ્રભાવનાઓ પણ છલકાતી જોવા મળી હતી.

અમરેલી વાસીઓની આંખોના ખૂણાઓ ભીના થઈ ગયા

સદગત વીર શહીદના પત્નીએ બે પુત્રો નોંધારા મૂકીને વિલાપ કર્યો હતો. વીર શહીદ મનીષ મહેતાના બહેન પણ ચોધાર આંસુઓએ રડતા જોવા મળ્યા હતા. આર્મીના મેંજર સહિતની પુરી બટાલીયન સદગતના પાર્થિવ દેને અમરેલીને રાજમાર્ગો પર નીકળ્યા ત્યારે લોકોએ પુષ્પો વડે વીર શહીદ મનીષ મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવેલ હતી. આર્મીએ રાષ્ટ્રભાવના સાથે સદગતના પાર્થિવ દેહને પુષ્પાંજલિઓ અર્પણ કરી. પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વીર શહીદ મનીષ મહેતાને આન બાન અને શાન સાથે આર્મીની પરંપરા અનુસાર સદગત વીર શહીદને સરકારી પ્રોટોકોલ મુજબ સલામી આપીને વીર શહીદના પુત્રોએ શહીદના પાર્થિવદેહને અગ્નિસંસ્કાર કરતા હજારોની સંખ્યામાં આવેલા રાષ્ટ્રપ્રેમી અમરેલી વાસીઓની આંખોના ખૂણાઓ ભીના થઈ ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Update: માવઠાની આગાહી વચ્ચે રાજ્યના પોરબંદર સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
Gujarat Rain Update: માવઠાની આગાહી વચ્ચે રાજ્યના પોરબંદર સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
Rain: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં માવઠાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Rain: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં માવઠાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget