શોધખોળ કરો

Ahmedabad: બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આવતીકાલે આવી પહોંચશે અમદાવાદ, જાણો સમગ્ર કાર્યક્રમ

અમદાવાદ:  બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર  શાસ્ત્રી આવતીકાલે અમદાવાદ આવશે. સવારે  11 વાગ્યે તેઓ અમદાવાદ આવી પહોંચશે. સૌપ્રથમ ધીરેન્દ્ર શાસ્ત્રી દેવકીનંદન ઠાકુરજીની શિવ કથામાં હાજરી આપશે.

અમદાવાદ:  બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર  શાસ્ત્રી આવતીકાલે અમદાવાદ આવશે. સવારે  11 વાગ્યે તેઓ અમદાવાદ આવી પહોંચશે. સૌપ્રથમ ધીરેન્દ્ર શાસ્ત્રી દેવકીનંદન ઠાકુરજીની શિવ કથામાં હાજરી આપશે. ત્યાર બાદ બપોરે 3 વાગ્યે કથામાં હાજરી આપવા જશે અને રાત્રે સુરત જવા રવાના થશે. તમને જણાવી દઈએ કે, 26 તારીખથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરતમાં યોજાવાનો છે.

છેલ્લા કેટલાય સમયથી હિન્દુ રાષ્ટ્રને લઈ ને ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ આવતીકાલથી ગુજરાતમાં 10 દિવસ માટે આવી રહ્યા છે. ગાંધીનગર, સુરત, અમદાવાદ અને વડોદરા ખાતે તેઓના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ગુરુવારે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ વટવામાં દેવકીનંદન ઠાકુરની શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ બપોરે કથામાં પ્રવચન આપશે. ત્યારબાદ તેઓ સુરતમાં દિવ્ય દરબારના કાર્યક્રમ માટે રવાના થશે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ આવતીકાલે ગુરુવારે સવારે 11 વાગ્યે ચાર્ટર્ડ પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. ત્યાંથી સીધા તેઓ વટવા ખાતે ઠાકુર દેવકીનંદન જ્યાં રોકાયા છે ત્યાં જશે. દેવકીનંદન સાથે બપોરે ભોજન લેશે. આરામ બાદ તેઓ વટવા વિસ્તારમાં ઓસીયા મોલ પાસે આવેલા શ્રીરામ મેદાનમાં શિવ મહાપુરાણની કથામાં દેવકીનંદન અને ધીરેન્દ્ર શાસ્ત્રી બંને સાથે હાજર રહેશે. બપોર 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી તેઓ હાજરી આપશે. બપોરે દેવકીનંદનના ટૂંકા પ્રવચન બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વ્યાસપીઠ ઉપર બિરાજી અને પોતાનું પ્રવચન આપશે. સાંજે છ વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત જવા માટે રવાના થઈ જશે.

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે રજીસ્ટ્રેશન ફરજિયાત

 સુરત અને રાજકોટ ઉપરાંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં પણ દિવ્ય દરબાર ભરશે. ચાણક્યપુરીમાં ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. 29 અને 30 મે ના રોજ ચાણક્યપુરીમાં દરબાર ભરાશે. જ્યાં દરબાર ભરાવાનો છે તે સ્થળે આયોજકો પહોંચ્યા છે. બા બાઘેશ્વરના દરબાર માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વિવાદો વધતા બાબાના દરબારને લઈ સુરક્ષમાં વધારો કરવામાં આવ્યો છે. દિવ્ય દરબારમાં પ્રવેશ માટે લોકોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા

પ્રખ્યાત કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. Y સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત આઠ જવાન સામેલ છે.

મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ 

તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો." આ કોલ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?

વિડિઓઝ

Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Tata Motors એ પોતાનો વાયદો પૂરો કર્યો, મહિલા ક્રિકેટ ટીમને ગિફ્ટ કરી Sierra SUV, જાણો કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
Gold Silver Rate: ચાંદીમાં જોરદાર તેજી, જાણો મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
PM કિસાનના  22માં હપ્તાને લઈ અપડેટ: શું 6,000 ના બદલે ખેડૂતોના ખાતામાં 12,000 આવશે ?
રેલયાત્રીઓ માટે ખુશખબર! હવે 10 કલક પહેલાં જ જોઈ શકાશે વેઈટિંગ-RAC ટિકટનું સ્ટેટસ
રેલયાત્રીઓ માટે ખુશખબર! હવે 10 કલક પહેલાં જ જોઈ શકાશે વેઈટિંગ-RAC ટિકટનું સ્ટેટસ
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ
ICC Rankings: તિલક વર્માની છલાંગ, સૂર્યકુમાર યાદવ ટોપ 10 માંથી બહાર થવા પર, રેન્કિંગમાં ઉથલપાથલ
BMC ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ! શું અજિત પવારના વધુ એક મંત્રી આપશે રાજીનામું?
BMC ચૂંટણીઓ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ! શું અજિત પવારના વધુ એક મંત્રી આપશે રાજીનામું?
IPL 2026 મીની હરાજીમાં RCB સાથે જોડાયો વેંકટેશ ઐયર; આ રહ્યું બેંગ્લુરુની ટીમનું ફૂલ લીસ્ટ
IPL 2026 મીની હરાજીમાં RCB સાથે જોડાયો વેંકટેશ ઐયર; આ રહ્યું બેંગ્લુરુની ટીમનું ફૂલ લીસ્ટ
Embed widget