શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અંગે મોટા સમાચાર, હવે કઈ સારવાર કરાઈ શરૂ ?
ભરતસિંહ સોલંકી સતત 50 દિવસથી વધુ હોસ્પિટલમાં હોવાથી હાલ ફિઝિયોથેરાપી દ્વારા કસરત કરાવીને સારવાર શરૂ કરવામાં આવી છે.
![કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અંગે મોટા સમાચાર, હવે કઈ સારવાર કરાઈ શરૂ ? Big news for health of Congress leader Bharatsinh Solanki કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અંગે મોટા સમાચાર, હવે કઈ સારવાર કરાઈ શરૂ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/19183950/Bharatsinh.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે એવા અહેવાલ છે. કોરોના થતાં વડોદરાની હોસ્પિટલમાં દાખલ થયેલા ભરતસિંહ સોલંકીની તબિયત કથળી જતાં તેમને અમદાવાદ લવાયા હતા. અમદાવાદમાં તેમની તબિયત વધારે બગડતાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા પણ હવે તેમની તબિયતમાં સુધારો નોંધાયો છે.
હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભરતસિંહ સોલંકી સતત 50 દિવસથી વધુ હોસ્પિટલમાં હોવાથી હાલ ફિઝિયોથેરાપી દ્વારા કસરત કરાવીને સારવાર શરૂ કરવામાં આવી છે. તેમને બીજી કોઈ તકલીફ પણ નથી એ જોતાં ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સંપૂર્ણ રિકવર થયા બાદ ડિસ્ચાર્જ આપવામાં આવશે. ટૂંક સમયમાં જ ભરતસિંહસોલંકીને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બાદ તરત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેથી તેમને હોસ્પિટલમા દાખલ કરાયા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)