શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદની હાલત અતિ ગંભીર, કોરોનાના કેસની સંખ્યા 545 થઈ, કુલ 17 લોકોના મોત
રાજ્યમાં કોરોના વાયરસને લઈને અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર છે. ગુજરાતમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ 929 કેસમાં માંથી એકલા અમદાવાદમાં 545 કેસ છે.
![અમદાવાદની હાલત અતિ ગંભીર, કોરોનાના કેસની સંખ્યા 545 થઈ, કુલ 17 લોકોના મોત Coronavirus case increased to 545 in Ahemdabad અમદાવાદની હાલત અતિ ગંભીર, કોરોનાના કેસની સંખ્યા 545 થઈ, કુલ 17 લોકોના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/17023557/Ahemdabad.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના આજે નવા 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 929 પર પહોંચી છે. અમદાવાદમાં 53 નવા કેસ નોંધાયા છે. સુરતમાં બે કેસ, રાજકોટમાં એક કેસ, વડોદરામાં એક કેસ અને અરવલ્લી જિલ્લામાં એક કેસ નોંધાયો છે. રાજ્યના 24 જિલ્લામાં કોરોનાનો પગપેસરો થયો છે. અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસને લઈને અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર છે. ગુજરાતમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ 929 કેસમાં માંથી એકલા અમદાવાદમાં 545 કેસ છે.
ગુજરાતના કુલ દર્દીઓ પૈકી 59 ટકા દર્દીઓ અમદાવાદના છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મોત થયા છે,જ્યારે 21 લોકો સ્વ્સ્થ થયા છે.
કોરોના વાયરસના કારણે બગડી રહેલી સ્થિતિને જોતા અમદાવાદને લોકડાઉનમાંથી રાહત મળે તેવી શક્યતા નહીવત છે. અમદાવાદના મેયર અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર હોવાનું નિવેદન આપી ચૂક્યા છે.
આરોગ્ય સચિવ જયંતી રવીએ માહિતી આપતા કહ્યું, આવતીકાલ સાંજ સુધીમાં રેપિડ કિટ આવી જશે, જેથી ગુજરાતમાં ટેસ્ટિંગ વધુ કરી શકીશુ.
કોરોના વાયરસના કારણે અમદાવાદ છેલ્લા 24 કલાકમાં 95 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 545 પર પહોંચ્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)