શોધખોળ કરો

C.R. પાટીલના મંત્રીઓને કમલમમાં બેસાડવાના આદેશ મુદ્દે હવે લેવાયો નવો નિર્ણય, જાણો વિગત

હાલ પૂરતી તમામ મંત્રીઓને કમલમમાં આવવાની વાત પર અત્યારે રોક લગાવાઇ છે. હવે કૌશિક પટેલ અને જયદ્રથસિંહ એ બે મંત્રી જ કમલમ ખાતે બેસીને કાર્યકરોની રજૂઆતો સાંભળશે.

અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ભાજપના નારાજ કાર્યકરોને ખુશ કરવા વિજય રૂપાણી સરકારના મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ કરાયો હતો. સરકારના તમામ મંત્રીઓ વારાફરતી સોમવાર અને મંગળવારે કમલમ ખાતે બેસે તેવો આદેશ કરાયો હતો પણ હવે સરકારના હવે માત્ર બે મંત્રીઓને કમલમમાં આવીને કાર્યકરોના પ્રશ્નો સાંભળવા જવાબદારી અપાઇ છે. ગુજરાતના જાણીતા અખબારમાં કરાયેલા દાવા પ્રમાણે હાલ પૂરતી તમામ મંત્રીઓને કમલમમાં આવવાની વાત પર અત્યારે રોક લગાવાઇ છે. હવે કૌશિક પટેલ અને જયદ્રથસિંહ એ બે મંત્રી જ કમલમ ખાતે બેસીને કાર્યકરોની રજૂઆતો સાંભળશે. એ પછી આ રજૂઆતોને સંબધિત મંત્રાલય સુધી પહોંચાડાશે. આ અખબારના અહેવાલમાં દાવો કરાયો છે કે, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આ આદેશની લોકોમાં નકારાત્મક છાપ ઉપસી હતી. સિનિયર મંત્રીઓ પણ આ નિર્ણયથી અંદરખાને નારાજ હતાં તેથી આખરે આ નિર્ણય બદલવો પડયો છે. સી.આર.પાટીલ દ્વારા બધાય વિભાગના મંત્રીઓને કમલમમાં આવવા આદેશ કરાયો હતો. તેના કારણે સામાન્ય લોકોમાં એવો નકારાત્મક સંદેશો પહોંચ્યો હતો કે, ભાજપના કાર્યકરોની વાત સાંભળવા મંત્રીઓ કમલમમાં જશે તો સચિવાલયમાં સામાન્ય લોકોને મંત્રીઓ મળી જ નહીં શકે તેથી આ નિર્ણય બદલવો પડ્યો હોવાનો દાવો પણ આ અહેવાલમાં કરાયો છે. આ અહેવાલમાં કહેવાયું છે કે, કોંગ્રેસે પણ આ વાતનો એ મુદ્દે વિરોધ કર્યો હતો કે, સરકારના મંત્રી ભાજપના નહી પણ ગુજરાતની જનતાના છે. કોરોનાના કારણે મંત્રી ભાજપના કાર્યકરોને જ નહી પણ સામાન્ય લોકોનેય મળતા નથી. કોરોનાના બહાને અત્યારે તો મુલાકાતીઓ માટે સચિવાલયના દરવાજા બંધ છે ત્યારે કમલમમાં દરવાજા ખુલ્લા મૂકાયા છે. આ વિવાદ વકરતાં ભાજપે આ નિર્ણયને ફેરવવા મજબૂર થવુ પડયુ હોવાનો દાવો આ અહેવાલમાં કરાયો છે. આ અહેવાલ પ્રમાણે હવે એવુ નક્કી કરાયુ છે કે,દર સપ્તાહે સોમવાર અને મંગળવારે માત્ર બે મંત્રીઓ કમલમ જશે અને કાર્યકરોને સાંભળશે. અત્યારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. આ બને મંત્રીઓ કાર્યકરોના પ્રશ્નો સાંભળીને જે તે વિભાગને મોકલી આપશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget