શોધખોળ કરો
Advertisement
‘મહા’ વાવાઝોડું ગુજરાતમાં ક્યારે ત્રાટકશે, હવમાન વિભાગે શું કરી મોટી આગાહી ? જાણો વિગત
‘મહા’ વાવાઝોડાનું સંકટ હજુ નથી ટળ્યું. વાવાઝોડું સતત દિશા બદલી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 6 અને 7 તારીખે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતા છે.
અમદાવાદ: ‘મહા’ વાવાઝોડાનું સંકટ હજુ નથી ટળ્યું. વાવાઝોડું સતત દિશા બદલી રહ્યું છે. 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેની અસર દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે. હવે 'મહા' વાવાઝોડાને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે આ વાવાઝોડું દીવ અને દ્વારકાના દરિયા કાંઠે ત્રાટકશે. સાથે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 6 અને 7 તારીખે વરસાદ પડે તેવી શક્યતા છે. 100થી 110ની સ્પીડે પવન ફૂંકાશે. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ વેરાવળથી 550 કિમી દૂર છે. જે 4 તારીખ પછી મૂવમેન્ટ બદલશે અને 6 તારીખે મધરાત્રે દરિયા કાંઠે હીટ કરશે.
પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ‘મહા’ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
આગાહીના પગલે NDRFની તમામ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. ભારે પવનના કારણે માછીમારને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત છે. કચ્છમાં જખૌની 400 બોટો દરિયામાં સંપર્ક વિહોણી છે. જખૌ બંદર પરથઈ 984 બોટને ટોકન અપાયા હતા. જેમાંથી 584 બોટ કિનારે પરત ફરી છે પરંતુ હતુ 400 બોટ હજુ દરિયામાં છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ગુજરાત
ગુજરાત
Advertisement