શોધખોળ કરો
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવવાની અટકળોને લઈને BJPના પૂર્વ MLAએ CMને લખ્યો પત્ર? જાણો શું કહ્યું?

અમદાવાદઃ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવાની અટકળોને લઈને પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપુતે મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં જગરૂપસિંહે લખ્યું હતું કે, જો અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેશો તો અન્ય ભાષાના મતદારો નારાજ થઈ શકે છે. જેની અસર માત્ર ગુજરાતમાં જ નહીં, હિન્દી ભાષી રાજ્યોમાં પણ થઈ શકે છે.
હાલ અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવાની વાત ચાલી રહી છે. અલ્પેશ ઠાકોરને હું વ્યક્તિગત ઓળખું છું. પરંતુ પરપ્રાંતીયો પર જ્યારથી હુમલા થયા છે ત્યારથી હિન્દી ભાષી સમાજમાં તેની સામે રોષની લાગણી ફેલાયેલી છે. તે સમયે પોતાના વતનમાં જતાં રહેલા લોકોના ગામોમાં અલ્પેશ સામે નફરત છે.
તેને ભાજપમાં લેવામાં આવશે તો પરપ્રાંતીયોમાં અને તેમાં પણ ખાસ કરીને હિન્દી ભાષી મતદારો પર અસર પડશે. જેની અસર માત્ર અમદાવાદમાં જ નહીં, સમગ્ર ગુજરાત અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુ.પી., બિહાર જેવા રાજ્યોમાં પણ પડશે. આમ લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજકીય નુકસાન થવાની પુરી સંભાવના છે.
હાલ અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેવાની વાત ચાલી રહી છે. અલ્પેશ ઠાકોરને હું વ્યક્તિગત ઓળખું છું. પરંતુ પરપ્રાંતીયો પર જ્યારથી હુમલા થયા છે ત્યારથી હિન્દી ભાષી સમાજમાં તેની સામે રોષની લાગણી ફેલાયેલી છે. તે સમયે પોતાના વતનમાં જતાં રહેલા લોકોના ગામોમાં અલ્પેશ સામે નફરત છે.
તેને ભાજપમાં લેવામાં આવશે તો પરપ્રાંતીયોમાં અને તેમાં પણ ખાસ કરીને હિન્દી ભાષી મતદારો પર અસર પડશે. જેની અસર માત્ર અમદાવાદમાં જ નહીં, સમગ્ર ગુજરાત અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુ.પી., બિહાર જેવા રાજ્યોમાં પણ પડશે. આમ લોકસભા ચૂંટણીમાં ભાજપને રાજકીય નુકસાન થવાની પુરી સંભાવના છે.
વધુ વાંચો
Advertisement





















