શોધખોળ કરો

લોકડાઉનમાં કોંગ્રેસે ભરૂચના મદરેસાના લોકોને બિહાર મોકલવા ટ્રેન ટિકિટો આપેલી, કોરોનામાં ...............ભાજપના ક્યા નેતાએ કર્યું ટ્વિટ

રાજ્યમાં અનેક જગ્યાએ કોરોનાની સારવારમાં અકસીર ગણાતા ઈન્જેકશનની એક તરફ રાજ્યમાં અછત છે અને દર્દીઓ અહીંથી તહીં ભટકી રહ્યા છે ત્યારે રેમડેસિવિર ઈન્જેકશન માટે ગંભીર દર્દીના કુટુંબીજનોને ફાંફા મારી રહ્યા છે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે રેમડેસિવિર ઈન્જેકશનનું (Remdesivir Injection) રાજકારણ શરૂ થયું છે. ભાજપે સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેક્શન ફ્રીમાં આપવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે આ મુદ્દે સરકાર અને સી.આર.પાટીલ પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન ભાજપ નેતા પ્રદિપસિંહ વાઘેલાએ (Pradipsinh Vaghela) ટ્વીટ કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, લોકડાઉન (Lockdown) દરમિયાન કોંગ્રેસે ભરૂચમાં મદરેસાના લોકોને બિહાર મોકલવા સ્વખર્ચે ટ્રેન ટિકિટની વ્યવસ્થા કરી હતી.  આજે કોરોનાના આ સમયમાં તેઓ જરૂરતમંદો માટે ઈન્જેક્શનની વ્યવસ્થા કરશે, તો અમને જરા પણ તકલીફ નહિ થાય. “સેવાની જેવી જેની ભાવના”.

સુરતમાં ભાજપે પ્રથમ દિવસે કેટલા ઈન્જેક્સન આપ્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પાંચ હજાર રેમડેસીવીર ઈન્જેકશન ફ્રીમાં આપવાની જાહેરાત પછી શનિવારે વહેલી સવારથી ઉધના ભાજપ કાર્યાલયે લોકોની લાંબી લાઈનો લાગી હતી. પ્રથમ દિવસે 900 લોકોને ઇન્જેક્શન મફત આપવામાં આવ્યા હતા.  

રાજ્યમાં છે ઈન્જેકશનની અછત

રાજ્યમાં અનેક જગ્યાએ કોરોનાની સારવારમાં અકસીર ગણાતા ઈન્જેકશનની એક તરફ રાજ્યમાં અછત છે અને દર્દીઓ અહીંથી તહીં ભટકી રહ્યા છે ત્યારે રેમડેસિવિર ઈન્જેકશન માટે ગંભીર દર્દીના કુટુંબીજનોને ફાંફા મારી રહ્યા છે. પાટીલના ઈન્જેક્શન વિતરણ બાદ કોંગ્રેસે તેના પર હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસના વિવિધ નેતાઓ દ્વારા ભાજપને આ મુદ્દે ઘેરવામાં આવ્યો હતો.

હાર્દિક પટેલે શું કહ્યું

આ દરમિયાન કોંગ્રેસના ટોચના નેતા હાર્દિક પટેલે પણ રેમડેસિવિર ઈન્જેક્શનને લઈ ટ્વીટ કર્યુ હતું. તેણે લખ્યું, ગાંધી અને સરદારના ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેકશનનો સ્ટોક સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં પણ ભાજપ કાર્યાલયમાં છે. સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ જનતાની હાલત ખરાબ કરી દીધી છે. આ સમયમાં ભાજપે મહામારીને અવસરમાં બદલી દીધો છે. કંઈ તો બોલો યાર,

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
Embed widget