શોધખોળ કરો
કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે શું છે મોટા રાહતના સમાચાર? જાણો વિગત
લોકો માટે મોટા રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ખૂબ જ ઊંચો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 74.21 ટકા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસો 15 હજારની નજીક પહોંચી ગયા છે. જોકે, લોકો માટે મોટા રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ખૂબ જ ઊંચો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 74.21 ટકા છે. એટલું જ નહીં, અન્ય રાજ્યોની સરખામણીમાં કોરોનાના નવા કેસો પણ કંટ્રોલમાં છે. ગુજરાતમાં હાલ, 14905 એક્ટિવ કેસો છે. જેની સામે 50,322 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 2584 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1034 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 27 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 67811 પર પહોંચી ગઈ છે. આજે વધુ 917 દર્દીઓ સાજા થયા છે. ગઈ કાલે નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 184, અમદાવાદ કોર્પોરેશનમાં- 137, વડોદરા કોર્પોરેશનમાં- 95, રાજકોટ કોર્પોરેશન- 71, સુરત 54, મહેસાણા- 34, કચ્છ 27, જામનગર કોર્પોરેશન-26, જુનાગઢ કોર્પોરેશન 26, ભાવનગર કોર્પોરેશન 23, વડોદરા 23, ભાવનગર 21, ખેડા 21, અમરેલી 20, પંચમહાલ 20, ભરૂચ 19, ગાંધીનગર 19, રાજકોટ 19, જુનાગઢ 18, સુરેન્દ્રનગર 18, વલસાડ 16, ગીર સોમનાથ 15, અમદાવાદ 14, મોરબી 14, સાબરકાંઠા 14, ગાંધીનગર કોર્પોરેશન 13, બોટાદ 12, દાહોદ 11, મહીસાગર 11, નવસારી 9, પાટણ 7, આણંદ 6, નર્મદા 6, બનાસકાંઠા 2, જામનગર 2, તાપી 2, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 1 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ અનુસાર, ગઈ કાલે વધુ 27 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશનમાં 5, સુરતમાં 4, રાજકોટ- 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશનમાં- 2, જામનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, વડોદરા 1 અને વલસાડમાં 1 મોત થયું છે.
વધુ વાંચો





















