શોધખોળ કરો

ગુજરાતમાં કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

આગામી ત્રણ દિવસ સુધી ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે જ્યારે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમદાવાદઃ બંગાળની ખાડીનાં લો-પ્રેશરની સર્જાતા ઉત્તર-પૂર્વીય મધ્યપ્રદેશની સાથે પૂર્વીય રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનીક સરક્યુલેશન ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. મહત્વની વાત એ છે કે, આગામી ત્રણ દિવસ સુધી ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે જ્યારે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બંગાળની ખાડીના લો-પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોથી રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રીય થયુ છે અને છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સક્રીય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનથી ભારે પવનો વચ્ચે દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદનું જોર પડશે. જોકે આગામી ત્રણ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમજ 28 જુલાઇથી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવોથી ભારે વરસાદ ચોમાસાની સિઝનમાં રાજ્યની 41 ટકા વરસાદની ઘટ પુરી કરે તેવી શક્યતા છે. 28 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે દાહોદ, મહિસાગર, પંચમહાલ, વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને દમણમાં ભારે તેમજ મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. 29 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા તેમજ દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. 30 જુલાઈ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ખેડા, નવસારી, વલસાડ અને દમણ તેમજ સોરાષ્ટ્રનાં સુરેન્દ્નનગર, દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર અને રાજકોટમાં ભારે વરસાદ જોવા મળશે. 31 જુલાઇથી 1લી ઓગસ્ટ દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, વલસાડ, નવસારી અને દમણ, મોરબી, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ ડાંગ અને દમણમાં મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget