શોધખોળ કરો

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ 

શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે.

અમદાવાદ: શક્તિ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે.  શહેરના એસજી હાઈવે, પ્રહલાદ નગર, બોપલ, શેલા, થલતેજ, ઈસ્કોન, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  

સાંજના સમયે વરસાદના આગમનથી રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી હતી. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. 

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં સાંજે વરસાદી ઝાપટાથી રસ્તા પાણી-પાણી થયા હતા.  શહેરના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે.  

અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના લાઠીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી અને લાઠી પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલી પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું. લાઠી શહેરમાં વરસાદ વરસ્યો હતો. શહેર સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છ. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે.  માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.  દરિયાકાંઠે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.  દરિયાકાંઠે DW-2 સિગ્નલ લગાવાયું છે.  અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે.  

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર સંભવિત વાવાઝોડા શક્તિને લઈ વહીવટી તંત્ર ખડે પગે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદ, જામનગર,  કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં  વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. 

વાવાઝોડાને ધ્યાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ દૂર કરવામાં આવ્યા છે. જરૂર પડશે તો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી શકે છે.  દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં 25 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 574 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીની હાલત પણ ખરાબ
Stock Market: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 574 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીની હાલત પણ ખરાબ
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સામે આવ્યા 'વતનના રતન'
Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે ખોલશો તાળા ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં યોગીવાળી?
Harsh Sanghavi In Kutch : સરહદી ગામમાં કોઈ નવો માણસ દેખાય તો પોલીસને જાણ કરો
Amit Chavda: ખેડૂતોનું દેવું માફ કરો, કોંગ્રેસના ધારાસભ્યો પગાર જતો કરવા તૈયાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 574 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીની હાલત પણ ખરાબ
Stock Market: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 574 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીની હાલત પણ ખરાબ
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
જાણીતા લોકકલા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
ઢીલા પડ્યા ટ્રમ્પ! ભારત સાથેની ટ્રેડ ડીલને લઈ વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન, ભારત પ્રવાસે આવશે અમેરિકી રાષ્ટ્રપતિ
Aaj Nu Rashifal: મેષ,મકર અને મીન રાશિના લોકોએ નાણાકીય બાબતોમાં રાખવી પડશે સાવધાની, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ,મકર અને મીન રાશિના લોકોએ નાણાકીય બાબતોમાં રાખવી પડશે સાવધાની, જાણો આજનું રાશિફળ
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Friday worship: શુક્રવારે આ ખાસ વિધિથી કરો દેવી લક્ષ્મીની પૂજા, ખુલી જશે ધન લાભનો માર્ગ!
Friday worship: શુક્રવારે આ ખાસ વિધિથી કરો દેવી લક્ષ્મીની પૂજા, ખુલી જશે ધન લાભનો માર્ગ!
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Embed widget