![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના આ શહેરમાં કોરોના થયો બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં નવ હજારથી વધુ નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. એટલું જ નહી રાજ્યમાં શહેરોમાં કોરોનાના કેસ સતત વધારો થઇ રહ્યો છે.
![ગુજરાતના આ શહેરમાં કોરોના થયો બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં નવ હજારથી વધુ નવા કેસ નોંધાયા More than nine thousand new cases were reported in this city of Gujarat in last 24 hours ગુજરાતના આ શહેરમાં કોરોના થયો બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં નવ હજારથી વધુ નવા કેસ નોંધાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/15/898fc20bc65a8007c457053995aed6a5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. એટલું જ નહી રાજ્યમાં શહેરોમાં કોરોનાના કેસ સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં જ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9837 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં કોરોનાના નવા 2981 કેસ નોંધાયા છે.
બીજી તરફ 10,310 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,86,476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 88.51 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 13 મોત થયા. આજે 2,47,111 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 9837, સુરત કોર્પોરેશનમાં 2981, વડોદરા કોર્પોરેશનમાં 2823, રાજકોટ કોર્પોરેશનમાં 1333, સુરતમાં 728, આણંદમાં 558, ભાવનગર કોર્પોરેશનમાં 529, ગાંધીનગર કોર્પોરેશનમાં 509, જામનગર કોર્પોરેશનમાં 471, વલસાડમાં 446, ભરૂચમાં 408, વડોદરામાં 371, મહેસાણામાં 354, કચ્છમાં 346, નવસારીમાં 297, ગાંધીનગરમા 225, મોરબીમાં 206, રાજકોટમાં 188, પાટણમાં 180, બનાસકાંઠામાં 174, સુરેન્દ્રનગરમાં 156, જૂનાગઢ કોર્પોરેશનમાં 129, અમરેલીમાં 128, જામનગરમાં 128, અમદાવાદમાં 120, પોરબંદરમાં 117, ખેડામાં 112, સાબરકાંઠામાં 111, પંચમહાલમાં 110, દાહોદમાં 82, તાપીમાં 70, ભાવનગરમાં 58, દેવભૂમિ દ્વારકામાં 45, ગીર સોમનાથમાં 40, જૂનાગઢમાં 30, મહીસાગરમાં 24, અરવલ્લીમાં 18, બોટાદમાં 15, નર્મદામાં 14, ડાંગ, 9, છોટા ઉદેપુરમાં 5 નવા કેસ નોંધાયા હતા.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 104888 કેસ છે. જે પૈકી 156 વેન્ટીલેટર પર છે, જ્યારે 1,04,732 નાગરિકો સ્ટેબલ છે. 8,86,476 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,199 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગરમાં એક, રાજકોટમાં એક, ખેડામાં એક દર્દીઓ ઓના મોત થયા હતા.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 429 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6509 લોકોને પ્રથમ અને 28,491 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 32,710 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 76,785 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 38,492 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 63,677 લોકોને અપાયો છે. આજે કુલ 2,47,111 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,58,29,203 લોકોને રસી અપાઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)