શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાનો કાળો કેરઃ કયા કયા વિસ્તારોમાં છે સૌથી વધુ સંક્રમણ? જાણો વિગત

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે. એક્ટિવ કેસોની સંખ્યાની રીતે જોઇએ તો સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 672, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 670 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 608 એક્ટિવ કેસ છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ કંટ્રોલમાં આવી ગયું હતું. તેમજ એક્ટિવ કેસો 3 હજારની અંદર આવી ગયા હતા. જોકે, અનલોકમાં છૂટછાટ મળતા ફરીથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ગઈ કાલે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 180 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે 27મી સપ્ટેમ્બરે શહેરમાં 3810 એક્ટિવ કેસો હતા. તેમજ કુલ કેસો 33,691 છે. જ્યારે અત્યાર સુધીમાં શહેરમાં 28,124 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 1757 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે. એક્ટિવ કેસોની સંખ્યાની રીતે જોઇએ તો સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 672, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 670 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 608, દક્ષિણ ઝોનમાં 568, પૂર્વ ઝોનમાં 545, ઉત્તર ઝોનમાં 376 અને મધ્ય ઝોનમાં 371 એક્ટિવ કેસો છે. પશ્ચિમ ઝોનમાં મોટેરા, ચાંદખેડા, સાબરમતી, નવા વાડજ, એસપી સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી, વાસણા, રાણીપ,નારાણપુરા સહિતના વિસ્તારોના સમાવેશ થાય છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ, વેજલપુર, જોધપુર, બોપલ-ઘૂમા અને મક્તમપુરાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. પશ્ચિમ અમદાવાદમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે કોર્પોરેશન દ્વારા ગઈ કાલે રાત્રે દસ વાગ્યા પછી આ વિસ્તારોમાં ખાણી-પીણીની બજારો અને દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget