શોધખોળ કરો

ઉત્તરાખંડમાં અનેક ગુજરાતીઓ ફસાયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના CM સાથે કરી વાત

ઉત્તરાખંડમાં વરસાદી તોફાનથી યાત્રીઓને તકલીફ ન પડે તેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક છે. યાત્રીઓની સુવિધા અને સુરક્ષાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાત કરી હતી.

અમદાવાદઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને પણ અટકાવી દેવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સતર્ક છે. 

ઉત્તરાખંડમાં વરસાદી તોફાનથી યાત્રીઓને તકલીફ ન પડે તેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક છે. યાત્રીઓની સુવિધા અને સુરક્ષાને લઈ પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના મુખ્ય સચિવે પણ ઉત્તરખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. ગુજરાતીઓને મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. 

ઉત્તરાખંડ સરકારે પણ ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ કરવા ખાતરી આપી છે. છૂટાછવાયા ગ્રૂપમાં ગુજરાતીઓ ઉત્તરાખંડમાં અટાવાયા હોવાનું મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. ઉત્તરાખંડ સરકાર જે માહિતી આપશે તે મુજબ રાજ્ય સરકાર કાર્યવાહી કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

નોંદનીય છે કે, ઉત્તરાખંડમાં રાજકોટના 16 સભ્યો, અમદાવાદના થલતેજના 6 યાત્રીઓ, અમદાવાદના નવા વાડજ અને મણીગનરના રહેવાસીઓ પણ કેદારનાથમાં ફાસયા છે. આ ઉપરાંત ધોળકાના કેટલાક લોકો ઉત્તરાખંડમાં ફસાયા છે. મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રીઓ ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાયા છે. મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટુંકાવાનો વારો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે ત્રણ હજારથી વધુ વાહનો અટવાયા છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા રસ્તામાં ફસાઈ ગયું છે.


ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈના જણાવ્યા અનુસાર તેઓ હાલ ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છે. તો અમદાવાદના નવા વાડજમાં રહેતા એક દંપતિ પણ ભારે વરસાદથી બે દિવસથી કેદારનાથમાં ફસાયું છે. અરવિંદ આહિરે એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે કેદારનાથમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા છે. ફસાયેલા બેથી ત્રણ હજાર લોકોમાં ગુજરાતીઓ પણ છે. જેમણે સોશલ મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને મદદની ગુહાર લગાવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Embed widget