શોધખોળ કરો

Gujarat Rain: ભાલ પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ,આ ગામમાં નદીનું પાણી ફરી વળતા એક વ્યક્તિનું મોત

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ ચૂકી છે. ચોમાસાની શરુઆતમાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ ચૂકી છે. ચોમાસાની શરુઆતમાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત જાનમાલને પણ નુકસાન થયું છે. ખાસ કરીને ભાવનગર પંથકમાં મેઘરાજાનું રૌધ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે,

ભાવનગરના ભાલ પંથકના માઢીયા ગામમાં નદીના પાણી ફરી વળતા એક વ્યક્તિનું મોત થયું છે. મોડી રાત્રિના આસપાસ માઢીયા ગામમાં કાળુભાર અને ઘેલો નદીના પાણી ફરી વળ્યા હતા જેના કારણે પોતાના ઘર નજીક જ પાણીમાં ગરકાવ થઈ જતા ખીમજીભાઇ સોલંકી નામના વ્યક્તિનું મોત થયું છે.

માઢીયા ગામમાં નદીના પાણી આવી જતા ગામની અંદર તારાજી સર્જાઈ છે. દરેક ઘરોની અંદર ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. મૃતક ખીમજીભાઈ સોલંકીના મૃતદેહને હાલ પી.એમ માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.

ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે

છેલ્લા બે દિવસથી ભાવનગર, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, સતત પાણીની આવક વધતા નીચાણવાળા 17 જેટલા વિસ્તારોને એલર્ટ અપાયુ છે. શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવતા 15,340 ક્યુસેક પાણીની આવક સામે 15340 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

વરસાદના કારણે 18 લોકોના મોત

રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. વરસાદને લઈ અલગ અલગ દુર્ઘટનામાં 18ના મોત થયા છે. 36 કલાકમાં પ્રશાસને 109 લોકોને બચાવ્યા હતા. તે સિવાય 120 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 12953 ગામોમાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. 1 નેશનલ હાઈવે સહિત કુલ 134 માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થયો હતો. સુરેંદ્રનગરના વઢવાણમાં 46 લોકોનું સ્થળાંતર કરાયું હતું. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બોટાદમાં ખેતરમાં ફસાયેલા 18 ખેત મજૂરોને પણ બચાવાયા હતા. ખેતમજૂરો ગઢડાના પીપળીયા ગામે વાડી વિસ્તારમાં ફસાયા હતા. NDRFની ટીમે 18 લોકોને બચાવ્યા હતા.

રાજ્યમાં સીઝનનો સરેરાશ 7.90 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યુ છે, શરૂઆતી વરસાદે જ સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી દીધી છે. પ્રથમ રાઉન્ડમાં જ રાજ્યમાં સીઝનનો સરેરાશ 7.90 ટકા વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 14.83 ટકા વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 3.80 ટકા નોંધાયો છે. ખાસ વાત છે કે, ભારે વરસાદના કારણે રાજ્યના સાત મોટા ડેમો હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. રાજ્યમાં મોટાભાગના ડેમોમાં વરસાદી પાણીની સતત આવકો થઇ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યુ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Embed widget