
ભાવનગરની 'બટોંગે તો કટોંગે' વાળી કંકોત્રી વાયરલ, યુવાને શુભવિવાહ સાથે મોદી-યોગીના ફોટા સાથે છપાવી પત્રિકા
Bhavnagar Kankotri: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે

Bhavnagar Kankotri: દેશભરમાં અત્યારે ચૂંટણી માહોલ જામ્યો છે. ઉત્તરપ્રદેશથી લઇને કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી ચૂંટણીમાં પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. ત્યારે એક સુત્ર 'બટોંગે તો કટોંગે' ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. હવે આ સુત્ર ગુજરાતમાં એક કંકોંત્રીમાં સામે આવ્યુ છે. ભાવનગરમાં એક યુવાને પોતાની લગ્નની કંકોત્રીમાં 'બટોંગે તો કટોંગે' સુત્ર છપાવીને અનોખો પ્રચાર કર્યો છે. આ કંકોત્રી હાલમાં ખુબ જ વાયરલ થઇ રહી છે.
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલું 'બટોંગે તો કટોંગે' નું સૂત્ર હવે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. એટલું જ નહીં, ઉત્તરપ્રદેશમાં જે 9 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે તેના પર ભાજપ દ્વારા આ જ નારા લગાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, ગુજરાતમાં ભાવનગરમાં ભાજપના એક કાર્યકરને તેના ભાઈના લગ્નના કાર્ડ પર સીએમ યોગીએ આપેલું આ સ્લૉગન છપાયું છે.
લગ્ન ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાંગર ગામમાં 23 નવેમ્બરના રોજ ભાજપના કાર્યકરના ઘરે થવાના છે. આ લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, વરરાજાના ભાઈએ લગ્નના કાર્ડ પર ચૂંટણીમાં સીએમ યોગીએ આપેલું સ્લૉગન છાપ્યું છે, જેમાં હિન્દુ સમુદાયને એક કરવા માટે કહેવામાં આવ્યું છે. સીએમ યોગી ચૂંટણી રેલીઓમાં સતત નારા લગાવી રહ્યા છે - 'બટોંગે તો કટોંગે, એક રહોગે તો નેક રહોગે'.
લગ્નનું કાર્ડ થયુ ખુબ વાયરલ
લગ્નના કાર્ડ પર સીએમ યોગીના આ સ્લૉગનને કારણે ચારેબાજુ ચર્ચા છે. જ્યારે બીજેપી કાર્યકરને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે લોકોને જાગૃત કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ ફેલાવવાના હેતુથી લગ્નના કાર્ડ પર પીએમ મોદી, યોગી આદિત્યનાથ અને રામ મંદિરની તસવીર તૈયાર કરવામાં આવી છે. આ લગ્ન કાર્ડમાં સ્વચ્છતા અભિયાન અને સ્વદેશી અપનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
તાજેતરમાં જ ઝારખંડમાં એક રેલીને સંબોધિત કરતી વખતે સીએમ યોગીએ કહ્યું હતું કે, "તમારી તાકાતનો અહેસાસ કરો, જાતિઓમાં ભાગલા પાડવાની જરૂર નથી, કેટલાક લોકો તમને જાતિના નામે વિભાજિત કરશે, કોંગ્રેસ અને વિપક્ષો આવું જ કરે છે. આ લોકો બાંગ્લાદેશી લોકો છે." તેઓ ઘૂસણખોરોને બોલાવે છે, એક દિવસ તેઓ તમને ઘરની અંદરની ઘંટડી પણ વાગવા નહીં દે, તેથી હું કહું છું કે દેશનો ઇતિહાસ સાક્ષી છે. જ્યારે પણ વિભાજિત થયા છો, નિર્દયતાથી કપાયા છો."
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, આગામી 13મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

