![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat election 2022: શક્તિસિંહ ગોહિલે કહ્યું, કરોડો રૂપિયામાં બીજેપીએ ધારાસભ્યો ખરીદ્યા, પણ આ વ્યક્તિને ન ખરીદી શક્યા
Gujarat assembly election 2022: ગુજરાતામાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના નિવેદનો પણ ચર્ચામાં આવી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
![Gujarat election 2022: શક્તિસિંહ ગોહિલે કહ્યું, કરોડો રૂપિયામાં બીજેપીએ ધારાસભ્યો ખરીદ્યા, પણ આ વ્યક્તિને ન ખરીદી શક્યા Congress leader Shaktisinh Gohil addressed the meeting at Talaja Gujarat election 2022: શક્તિસિંહ ગોહિલે કહ્યું, કરોડો રૂપિયામાં બીજેપીએ ધારાસભ્યો ખરીદ્યા, પણ આ વ્યક્તિને ન ખરીદી શક્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/27/58faf294f97b396ecc145e9a1afe1d271669558837208397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat assembly election 2022: ગુજરાતામાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના નિવેદનો પણ ચર્ચામાં આવી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં નેતાઓના વિવાદાસ્પદ નિવેદનનો કારણે રાજકારણ ગરમાયું છે. ભાવનગરના તળાજા ખાતે યોજાયેલ એક જાહેરસભામાં શક્તિસિંહ ગોહિલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપ દ્વારા ધારાસભ્યોને કરોડોમાં ખરીદ વેચાણ સંઘ ચલાવાય છે. ઈલેક્શનના અંતિમ દિવસોમાં 25 કરોડમાં પણ ભાજપ ખરીદે છે. પરંતુ તળાજાનાં વર્તમાન ધારાસભ્ય કનુભાઈને ખરીદી શક્યા નથી.
દરિયામાં સ્વિમિંગ કરીને ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા અંબરીશ ડેર
અમરેલી જિલ્લાના રાજુલા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા અનોખી રીતે પ્રચાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર ચાંચબંદર ગામે સ્વિમિંગ કરીને ગયા હતા. દરિયાની વચ્ચોવચ આવેલા ગામમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. રાજુલા મત વિસ્તારમાં ચાંચબંદર ગામે 300 મીટરની ખાડી ઉપર પુલ બનાવવા માટે વિધાનસભામાં અનેક વખત રજૂઆતો કરી હતી. ચાંચબંદર ગામની મહિલાઓએ અમરીશ ડેરના ઓવરણા લીધા હતા. અમરિશ ડેરનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વિધાનસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં બીજેપીને લાગ્યો ઝટકો
વિધાનસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. ધ્રાંગધ્રા ખાતે યોજાયેલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની જાહેરસભામાં ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના ધારાસભ્ય પરસોતમ સાબરીયાના કૌટુંબિક ભાઈ ભુપત સાબરિયા સહિત અંદાજે 20થી વધુ આગેવાનો અને સમર્થકો કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ કોંગ્રેસમાં જોડાયેલ તમામ આગેવાનોનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે.
વિદ્યાર્થીઓ કેનેડા જવાને બદલે કેનેડાવાળા ગુજરાત આવે એવું કામ કરવું છે: કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરતમાં હતા. જ્યાં તેમણે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. કેજરીવાલને કાપડ વેપારી અને શિક્ષણ પ્રથાથી પીડિત લોકોએ પ્રશ્ન કરી ફરિયાદ કરી હતી. કેજરીવાલે કહ્યું જેમ ચૂંટણીમાં વાત કરીએ એમ જ સરકાર બનાવ્યા બાદ પણ વાત કરીશું. જે વ્યાપારી ખુલીને વાત નથી કરી શકતો એ ક્યારેય આર્થિક પ્રગતિ કરી શકતા નથી. ખબર નહીં આપને કેટલાકને નોટિસ આવી જશે. ગુજરાતમાં ડરનો માહોલ છે. લોકોને પૂછીએ છીએ કોને વોટ આપશો તો કહે છે ભાજપ. આ ભાજપ કહેવા વાળા બધા આપને વોટ આપશે. વ્યાપારીઓ સાથે ગુંડાગીરી કરે છે. આપ આવશે તો કાપડ વ્યાપારીને સાથ આપશે. સરકાર વ્યાપારીઓ સાથે ચોર હોય તેમ વ્યવહાર કરે છે. આપ તમને સન્માન આપશે. કાપડ વ્યાપારીઓની સમસ્યા ઉકેલવામાં સ્પેશ્યલ કાયદો બનાવીશું. વ્યાપારીઓ પેમેન્ટની પરેશાનીથી પરેશાન છે તે પણ દૂર કરીશું,
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)