શોધખોળ કરો

Bhavnagar: ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા હિન્દુ સંગઠનો મેદાને, 5 હજાર લોકો ઉતર્યા રસ્તા પર

Bhavnagar: ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો આવ્યા મેદાનમાં આવ્યા છે. જશુનાથ સર્કલ પરથી કલેકટર કચેરી સુધી જય શ્રી રામના સૂત્રોચાર સાથે મહિલાઓ સહિત 5,000 વધું યુવાઓ રેલીમાં જોડાયા.

Bhavnagar: ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો આવ્યા મેદાનમાં આવ્યા છે. જશુનાથ સર્કલ પરથી કલેકટર કચેરી સુધી જય શ્રી રામના સૂત્રોચાર સાથે મહિલાઓ સહિત 5,000 વધું યુવાઓ રેલીમાં જોડાયા હતા. જોકે આવેદન પત્ર પાઠવતા સમયે એડિશનલ કલેકટર સાથે શાબ્દિક ઘર્ષણ થતા હિન્દુ સંગઠનના યુવાઓએ 30 મિનિટ સુધી કલેકટર કચેરીનો રોડ બ્લોક કરી રામધુન મચાવી હતી. આખરે ડેપ્યુટી કલેકટર અશાંત ધારાની રજુઆત અને આવેદન પત્ર સ્વીકારવા ઓફિસ પરથી નીચે પહોંચતા મામલો શાંત થયો હતો.

ભાવનગરમાં ડિસ્ટર્બ એરીયા એકટ લાગુ કરવા માટે દાયકાઓથી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારનો સુખદ અંત નહીં આવતા આખરે વિવિધ હિંદુ સંગઠનો મેદાન પર ઉતર્યા છે. આજે શહેરના જશુંનાથ સર્કલ પરથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું. જ્યાંથી કલેક્ટર કચેરીએ વિવિધ બેનરો અને અશાંત ધારો લાગુ કરવાની માંગના સૂત્રો ચાર કરવામાં આવ્યા હતા. રેલી કલેક્ટર કચેરીએ પહોંચી એ સમયે કલેક્ટર હાજર નહીં હોવાથી અધિક કલેક્ટરને અવેદપત્ર આપવા જતા વિવિધ હિન્દુ સંગઠનોની માગણી હતી કે 5000 થી વધું લોકો હાજર હોવાથી અધિક કલેકટર તેમની કચેરીમાંથી નીચે આવીને અવેદપત્ર સ્વીકારે તેવી વિનંતી કરી હતી પરંતુ અધિક કલેકટર પોતાની કચેરીમાં જ અવેદપત્ર આપવાનો આગ્ર રાખીને બેઠા હતા. આમ અધિક કલેકટરનાં કડક વલણથી આગેવાનો નારાજ થયા હતા. આ દરમિયાન એક આગેવાને અધિકારી કલેકટરને બોવ સરળ શબ્દોમાં કહ્યું હતું કે આવતીકાલે મુખ્યમંત્રી ભાવનગરમાં આવે છે. આમ આગેવાનનો કેવાનો અર્થ એવો થયો કે જો અધિક કલેક્ટર જડ વલણ દાખવશે તો મુખ્યમંત્રીને અવેદપત્ર આપીને રજુઆત કરશે.

ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાંથી હિન્દુઓને ફરજીયાત ઘર વહેંચી બીજા સ્થળે રહેવા જવુ પડે છે. જેને પરિણામે શહેરની કોમી-એખલાસતા ઘટી રહી છે. આ સંજોગોમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મુખ્યમંત્રી,ગૃહરાજ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માંગણી કરેલ છે. હિન્દુ આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારમાં અમુક મકાનો ખરીદી તેની ઊંચી રકમ ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ હિન્દુ લોકોને અમુક પ્રવૃત્તિઓ કરી માનસિક ત્રાસ આપી મકાનો વેચવા માટે મજબૂર બનાવવામાં આવે છે ત્યારે આવા સંજોગોમાં ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તો દરેક ધર્મના લોકો સુરક્ષાનો અનુભવ કરી શકે તેવી માંગ ઉઠી છે

ગુજરાતના વિવિધ જિલ્લામાં અશાંત ધારો લાગુ થઈ રહ્યો છે તો ભાવનગરમાં શા માટે નહીં તેવી માંગ કરવામાં હતી. આ માંગ સાથે રેલીમાં ડેપ્યુટી મેયર તેમજ ભાજપના નગરસેવક સહિતનાઓ જોડાયા હતા. ભાવનગર શહેરના ક્રેસંટ, ગીતાચોક, મેઘાણીસર્કલ, ઘોઘાસર્કલ, અને ઘોઘારોડ સહિતના વિસ્તારોમાં અને કરચલીયા પરા સહિત મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં હાલ જે પ્રમાણે મિલકતના સોદા થઈ રહ્યા છે. તેને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અમદાવાદ વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં અશાંતધારો લાગુ પડ્યો છે અને ભાવનગરમાં પણ ઘણા લાંબા સમયથી આ અંગેની માંગણી છે ત્યારે વહેલીતકે આ અંગેનો નિર્ણય લેવાની માંગણી કરવામાં આવેલ છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની સંસ્થાઓ ઉપરાંત સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ, તિલકનગર, બોરડીગેટ, ભગાતળાવ સહિત જુદાજુદા આઠ મંડળોએ આ અંગેની સંયુક્ત રજુઆત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો જોરદાર વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો જોરદાર વરસાદ
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Bhavnagar: મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં ગાબડું? બગદાણા વિવાદમાં કોળી સમાજની 'ન્યાય સભા'થી રાજકારણ ગરમાયું
Bhavnagar: મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં ગાબડું? બગદાણા વિવાદમાં કોળી સમાજની 'ન્યાય સભા'થી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
Share Market Today: ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો, 2674 પર ખુલ્યો સેન્સેક્સ
RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો
RBI MPC Meeting: RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, તમારી EMIમાં નહીં થાય ઘટાડો
Iran-US Ceasefire: સીઝફાયરની જાહેરાત થતા જ અમેરિકામાં કેમ થવા લાગી ટ્રમ્પના રાજીનામાની માંગ?
Iran-US Ceasefire: સીઝફાયરની જાહેરાત થતા જ અમેરિકામાં કેમ થવા લાગી ટ્રમ્પના રાજીનામાની માંગ?
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran US War Update: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની કરી જાહેરાત, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા થયું સહમત
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
Iran-US Ceasefire: ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર, ઈરાને મોકલેલા 10 પોઈન્ટના પ્રસ્તાવમાં શું છે?
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
US Iran War LIVE: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની શરત પર સીઝફાયરની જાહેરાત, 10 એપ્રિલે પાકિસ્તાનમાં થશે વાતચીત
Iran-US Ceasefire: રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી, સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ
Iran-US Ceasefire: રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી, સીઝફાયરની જાહેરાતથી વિરોધીઓ નાખુશ
Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક?
Iran-US Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર પર પાકિસ્તાની PMનું મોટું નિવેદન, શરીફે જણાવ્યું ક્યાં મળશે બેઠક?
Embed widget