શોધખોળ કરો

Bhavnagar: મહુવાની સરકારી હોસ્પિટલમાં રિએક્શન આવતા 3 દર્દીઓની તબિયત લથડી, એકનું મોત 

ભાવનગર મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા 7 જેટલા દર્દીઓને રિએક્શન આવતા ત્રણ દર્દીઓની તબિયત વધુ લથડી હતી.  જેમાં એક દર્દી નદીમ શેખનું મોત થયું છે.

ભાવનગર: ભાવનગર મહુવાની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા 7 જેટલા દર્દીઓને રિએક્શન આવતા ત્રણ દર્દીઓની તબિયત વધુ લથડી હતી.  જેમાં એક દર્દી નદીમ શેખનું મોત થયું છે.  ગઈકાલ રાત્રે અચાનક જ દર્દીઓ પોતાના બેડ પર રિએક્શનના કારણે તડપી રહ્યા હતા.  જોકે રિએક્શન શેના કારણે આવ્યું છે તે અંગે હજી સુધી સરકારી હોસ્પિટલ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.  એક મોત થયું હોવા છતાં હોસ્પિટલના RMO સબ સલામતના દાવા કરી રહ્યા છે. 

મહુવાની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે 12 જેટલા નોર્મલ તાવના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન જનરલ વોર્ડમાં સારવાર દરમિયાન કેટલાક દર્દીઓને રિએક્શન આવતા બેડ પર જ ધમ પછાડા કરી રહ્યા હતા. આ દર્દીઓમાં   બાળકી, મહિલા અને પુરુષ સામેલ છે.  અનેક દર્દીને બેડ પર જ બાંધવા પડ્યા હતા.  જોકે હોસ્પિટલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડીએનએસ પાઇપનું રિએક્શન અથવા અન્ય દવાના કારણે રિએક્શન થયું હોવાનું જણાવી રહ્યા છે. 

જે વ્યક્તિનું ડેથ થયું છે તે નદીમ શેખ બીમારી સબબ 25 તારીખનાં રોજ મહુવા તાલુકાના કુંભણ પીએચસીમાંથી રીફર કરીને મહુવા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યા હતા. જે દરમિયાન રિએક્શનની અસર જોવા મળતા નદીમ શેખને મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો.  જેનુ સાંજે સારવાર દરમિયાન મોત થયું છે.  જોકે રિએક્શન બાદ થયેલ મોતને લઈ અનેક સવાલો મહુવા સરકારી હોસ્પિટલ પર ઉઠી રહ્યા છે.  મૃતકના પરિવારજનો તપાસ માટેની માંગ કરી રહ્યા છે.  જો દવામાં અથવા તો અન્ય કોઈ ભૂલના કારણે દર્દીઓને રિએક્શન આવ્યા હોય તો આ મહુવા પ્રશાસનની ઘોર બેદરકારી કહી શકાય. 

મહુવા સરકારી હોસ્પિટલના દસથી વધુ દર્દીઓને રીએક્શન આવ્યા હતા. હોસ્પિટલના જનરલ વોર્ડમાં કુલ 11થી 12 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. તેવામાં કેટલાક દર્દીઓને રીકેશન આવતા બેડ પર ધમપછાડા કરી રહ્યાં હતા. દર્દીઓને આપવામાં આવેલી બોટલ તથા સિરીંજ ક્ષતિગ્રસ્ત હોવાથી રીએક્શન આવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવમાં આવ્યું છે. હોસ્પિટલના ફરજ પરના ડોકટરે DNS પાઈનનું રીએક્શન આવ્યું હોવાનું જણાવ્યું હતું. તો ઘટનાને લઈ દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. હાલ તો ત્રણ દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલની સારવાર હેઠળ રિફર કરી દેવામાં આવ્યાં છે. મહુવાની જનરલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Embed widget