શોધખોળ કરો

EMI ત્રણ મહિના નહીં ભરવાનો વિકલ્પ પસંદ કરવા જેવો નથી, જાણો વધારાનું કેટલું વ્યાજ ચૂકવવું પડશે ?

લોકોને રાહત આપવા માટે રીઝર્વ બેંકે રેપો રેટ અને રીવર્સ રેપો રેટ ઘટાડ્યા છે. સાથે સાથે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની લોન પર ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહીં ભરવાની છૂટ પણ આપી છે

નવી દિલ્હીઃ કોરોનાવાયરસના કારણે લોકડાઉન જાહેર થતાં અર્થતંત્રની હાલત બગડી ગઈ છે. લોકોને રાહત આપવા માટે રીઝર્વ બેંકે રેપો રેટ અને રીવર્સ રેપો રેટ ઘટાડ્યા છે. સાથે સાથે  હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની લોન પર ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહીં ભરવાની છૂટ પણ આપી છે. સામાન્ય લોકોને લાગે છે કે, આ મોટી રાહત છે પણ વાસ્તવમાં ઈએમઆઈ ત્રણ મહિના માટે નહીં ભરવાનો નિર્ણય કરનારને આ નિર્ણય બહુ મોંઘા પડશે. ત્રણ મહિના સુધી ઈએમઆઈ નહીં ભરનારે પ્રતિ 1000 રૂપિયાની લોન પર સરેરાશ 25 રૂપિયા વ્યાજ ભરવું પડશે. મતલબ કે એક લાખ રૂપિયાની લોન પર 2500 રૂપિયા વ્યાજ ભરવું પડશે. સામાન્ય હોમ લોન દસ લાખ રૂપિયા તો હોય જ તે જોતાં ત્રણ મહિના ઈએમઆઈ ના ભર્યો તો 25 હજાર રૂપિયા વધારાના ભરવા પડશે.  જે લોકોની લોન મોટી હોય તેમણે તો વધારે રકમ આપવી પડશે. એ જ રીતે વ્હીકલ લોન પાંચેક લાખ રૂપિયાની હોય તો તેના માટે 12,500 વધારાના ભરવા પડશે. આ વ્યાજની રકમ જોતાં જે લોકો પગારદાર છે તેમણે આ વિકલ્પ અપનાવવા જેવો નથી.

બેન્કિંગ ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે.  રિઝર્વ બેન્કે સામાન્ય લોકોને રાહત આપવા ઈએમઆઈ પર ત્રણ મહિના માટે મોરાટોરિયમ લગાવાયું છે.   આ દરમિયાન ઈએમઆઈ નહીં ચૂકવાય તો તેના પર બેન્ક સાધારણ દરે વ્યાજ વસૂલશે. બેન્કને આ રકમ તમારે ભવિષ્યમાં ચૂકવવાની છે પણ ચૂકવવાની તો છે જ તે જોતાં વ્યાજમાં કોઈ રાહત નથી મળવાની. આ રકમ બેંક મુદ્દલમાં ઉમેરીને ઈએમઆઈની રકમ વધારી શકે છે અથવા ઈએમઆઈની રકમમાં કોઈ ફેરફાર નહીં કરીને લોનનો સમયગાળો વધારી શકે છે. રિઝર્વ બેન્કના આ પગલાંથી જેમની આવક લૉકડાઉનના કારણે બંધ થઈ છે તેમને કામચલાઉ રાહત મળશે પણ તેમણે જૂનથી પોતાના ઈએમઆઈ અગાઉની જેમ જ નિયમિત રીતે ચૂકવવા પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget