શોધખોળ કરો

Post Office માં જમા કરો 5,00,000 અને મેળવો 2,24,974 નું ફિક્સ વ્યાજ, જાણો સ્કીમ વિશે 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ ઘણી બેંકોએ પણ FD પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જો કે, પોસ્ટ ઓફિસે હજુ સુધી તેની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો નથી.

Post Office Saving Schemes: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ ઘણી બેંકોએ પણ FD પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જો કે, પોસ્ટ ઓફિસે હજુ સુધી તેની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો નથી. આવી સ્થિતિમાં બેંકોની સરખામણીએ પોસ્ટ ઓફિસના વ્યાજદર હવે વધુ આકર્ષક બન્યા છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેમાં જો તમે 5 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને સીધું 2,24,974 રૂપિયાનું ફિક્સ વ્યાજ મળશે.

જો તમે 5 લાખ જમા કરો છો, તો તમને મેચ્યોરિટી પર 7,24,974 રૂપિયા મળશે 

બેંકોમાં ખોલવામાં આવેલા FD ખાતાની જેમ, ટીડી ખાતા (ટાઈમ ડિપોઝિટ) પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષની મુદતવાળા TD (ટાઈમ ડિપોઝિટ) ખાતા ખોલવામાં આવે છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને 1 વર્ષના TD પર 6.9 ટકા, 2 વર્ષના TD પર 7.0 ટકા, 3 વર્ષના TD પર 7.1 ટકા અને 5 વર્ષના TD પર 7.5 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે. જો તમે પોસ્ટ ઓફિસમાં 5 વર્ષના TDમાં 5 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને મેચ્યોરિટી પર કુલ 7,24,974 રૂપિયા મળશે. આ રકમમાં તમારું રૂ. 5,00,000નું રોકાણ ઉપરાંત રૂ. 2,24,974નું વ્યાજ પણ સામેલ છે.

પોસ્ટ ઓફિસ ટીડી સ્કીમમાં તમામ ગ્રાહકોને સમાન વ્યાજ મળે છે

પોસ્ટ ઓફિસ ટીડી સ્કીમમાં ગ્રાહકોને ગેરંટી સાથે એકદમ નિશ્ચિત વ્યાજ મળે છે. તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસના ટીડી ખાતા પર તમામ ગ્રાહકોને સમાન વ્યાજ મળે છે, પછી તે સામાન્ય નાગરિક હોય કે વરિષ્ઠ નાગરિક. ટાઈમ ડિપોઝિટ ખાતામાં ઓછામાં ઓછા રૂ. 1000 જમા કરાવી શકાય છે, જ્યારે મહત્તમ જમા કરવાની કોઈ મર્યાદા નથી. પોસ્ટ ઓફિસમાં જમા તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. વાસ્તવમાં, પોસ્ટ ઓફિસ એક સરકારી સિસ્ટમ છે, જે કેન્દ્ર દ્વારા સંચાલિત થાય છે. આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસમાં જમા કરવામાં આવેલા દરેક પૈસાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે.

છેલ્લા ઘણા સમયથી લોકોમાં રોકાણ પ્રત્યેની જાગૃતતા પણ વધી છે. લોકો બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ પોતાના પૈસાનું રોકાણ કરી રહ્યા છે. પોસ્ટમાં પણ બેંકની જેમ જ ઘણી બચી સારી સ્કીમ ચલાવવામાં આવી રહી છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
Embed widget