Air India: એર ઈન્ડિયાને લાખો રૂપિયાનો દંડ, આ કારણે ડીજીસીએ ભર્યું પગલું
એવિએશન સેક્ટર રેગ્યુલેટર ડીજીસીએએ એર ઈન્ડિયા પર દંડ લગાવતા કહ્યું કે તે ફ્લાઈટ ડ્યૂટી ટાઈમિંગ અને ક્રૂ થાકને રોકવા માટે બનાવવામાં આવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન કરી રહ્યું નથી.
![Air India: એર ઈન્ડિયાને લાખો રૂપિયાનો દંડ, આ કારણે ડીજીસીએ ભર્યું પગલું DGCA imposes fine of Rs 80 lakh on Air India here is the reason Air India: એર ઈન્ડિયાને લાખો રૂપિયાનો દંડ, આ કારણે ડીજીસીએ ભર્યું પગલું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/be86f964e62a765f9e0d3eb859691c451678595697285594_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
DGCA Action: ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાને શુક્રવારે મોટો ઝટકો લાગ્યો છે. ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર DGCAએ ફ્લાઇટ ડ્યુટી ટાઇમિંગ અને ક્રૂ થાકને રોકવા માટે બનાવેલા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેના પર 80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એવિએશન સેક્ટર રેગ્યુલેટર ડીજીસીએએ એર ઈન્ડિયા પર દંડ લગાવતા કહ્યું કે તે ફ્લાઈટ ડ્યૂટી ટાઈમિંગ અને ક્રૂ થાકને રોકવા માટે બનાવવામાં આવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન કરી રહ્યું નથી.
ફ્લાઇટ ડ્યુટી ટાઇમિંગ અને ક્રૂ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન
ડીજીસીએએ પોતાના આદેશમાં કહ્યું છે કે એર ઈન્ડિયા લિમિટેડનું સ્પોટ ઓડિટ જાન્યુઆરી 2024માં કરવામાં આવ્યું હતું. એવું જાણવા મળ્યું હતું કે એરલાઇન ફ્લાઇટ ડ્યુટી ટાઇમિંગ અને ક્રૂ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. ફ્લાઈટ ક્રૂને લાંબા અંતરની ફ્લાઈટ્સ પહેલા અને પછી અને લેઓવર દરમિયાન પૂરતો આરામ આપવામાં આવતો નથી. ઓડિટમાં આવા ઘણા કિસ્સાઓ પણ મળી આવ્યા હતા, જેમાં પાઇલોટ્સે તેમના ડ્યુટી સમય કરતાં વધુ કામ કર્યું હતું. આ પહેલા ફેબ્રુઆરીમાં ડીજીસીએએ 80 વર્ષીય પેસેન્જરના મોત બાદ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. આ સિવાય જાન્યુઆરીમાં સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એર ઈન્ડિયા પર 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
DGCA has imposed a financial penalty of Rs. 80,00,000 (Rupees eighty lakhs) to Air India Limited for violation of regulations pertaining to Flight Duty Time Limitations (FDTL) and fatigue management system (FMS) of flight crew: DGCA
— ANI (@ANI) March 22, 2024
1 માર્ચના રોજ કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી
DGCA અનુસાર, 1 માર્ચ, 2024ના રોજ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. યોગ્ય જવાબ ન મળતાં આ દંડ ફટકારવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં, ડીજીસીએએ ફ્લાઇટ ક્રૂ માટે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો હતો. આમાં સાપ્તાહિક આરામ 48 કલાક, રાત્રિના કલાકો વધારીને અને નાઇટ લેન્ડિંગ 6 થી ઘટાડીને 2 કરવામાં આવ્યું હતું. નિયમોમાં ફેરફાર કરતા પહેલા એરલાઇન ઓપરેટર્સ અને પાઇલોટ્સ એસોસિએશન સહિત વિવિધ હિતધારકો સાથે વાતચીત કરવામાં આવી હતી.
જાણો શું છે DGCAના નવા નિયમો
- નવા નિયમો હેઠળ, સાપ્તાહિક આરામનો સમયગાળો 36 કલાકથી વધારીને 48 કલાક કરવામાં આવ્યો હતો જેથી ફ્લાઇટ ક્રૂને પૂરતો આરામ મળી શકે.
- રાતની વ્યાખ્યા બદલાઈ ગઈ. હવે મધરાત 12 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય નાઈટ ડ્યુટી હેઠળ લાવવામાં આવ્યો છે. અગાઉ આ સમય સવારે 5 વાગ્યા સુધીનો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)