શોધખોળ કરો

ખેડૂતો કમાશે બમણું! 1 ટન શેરડીમાંથી કેટલા લિટર ઇથેનોલ બને છે? જુઓ ઉત્પાદનની ત્રણેય પદ્ધતિ

Sugarcane to ethanol ratio: પેટ્રોલમાં ઇથેનોલના બ્લેન્ડિંગથી ક્રૂડની આયાત ઘટશે અને ખેડૂતોની આવક વધશે; 1 ટન શેરડીમાંથી બને છે આટલું ઇંધણ

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇથેનોલ પેટ્રોલમાં મિશ્રણ માટે, શેરડીમાંથી મુખ્યત્વે બને છે.
  • એક ટન શેરડી ૭૦-૮૪ લિટર ઇથેનોલ સીધું આપે.
  • મોલાસીસથી ૧૦-૧૧ લિટર ઇથેનોલ બને છે, ઉપજ ઓછી.
  • ક્રશિંગ, આથો અને નિસ્યંદનથી શુદ્ધ ઇથેનોલ બને છે.

Sugarcane to ethanol ratio: ભારતમાં સતત વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે 'ઇથેનોલ' એક સૌથી મજબૂત વૈકલ્પિક ઇંધણ (Alternative Fuel) તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર સરકાર ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ (Blending) ઝડપથી વધારી રહી છે. આ બાયોફ્યુઅલ મુખ્યત્વે શેરડી અને તેમાંથી બનતી આડપેદાશોમાંથી તૈયાર થતું હોવાથી દેશભરના શેરડી પકવતા ખેડૂતો માટે કમાણીની નવી તકો ઊભી થઈ છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર 1 લિટર શુદ્ધ ઇથેનોલ બનાવવા માટે કેટલી શેરડીની જરૂર પડે છે? રિપોર્ટ્સ મુજબ, જો શેરડીના રસનો સીધો જ ઉપયોગ કરવામાં આવે તો 1 લિટર ઇથેનોલ બનાવવા માટે આશરે 12 થી 15 kg શેરડીની જરૂર પડે છે.

1 ટન શેરડીમાંથી કેટલું ઇથેનોલ બને છે?

ઇથેનોલ બનાવવાની પદ્ધતિના આધારે તેની ઉપજ નક્કી થાય છે:

સીધો રસ વાપરવાની પદ્ધતિ: જો શેરડીના રસનો સીધો જ કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે, તો 1 ટન (1,000 kg) શેરડીમાંથી આશરે 70 થી 84 લિટર શુદ્ધ ઇથેનોલ મેળવી શકાય છે.

મોલાસીસ પદ્ધતિ: જ્યારે શેરડીમાંથી પહેલા ખાંડ બનાવી લેવામાં આવે અને ત્યારબાદ બચેલા કાળા ચીકણા પ્રવાહી એટલે કે 'સી-હેવી મોલાસીસ' (C-Heavy Molasses) માંથી ઇથેનોલ બનાવવામાં આવે, ત્યારે તેની ઉપજ ઘણી ઘટી જાય છે. આ પદ્ધતિમાં 1 ટન શેરડીમાંથી માંડ 10 થી 11 લિટર ઇથેનોલ જ બને છે.

ઇથેનોલ ઉત્પાદનની 3 મુખ્ય પદ્ધતિઓ

સુગર મિલો સરકારી નીતિ અને બજારની માંગને ધ્યાનમાં રાખીને અલગ-અલગ રીતે ઇથેનોલ બનાવે છે:

શેરડીના રસમાંથી ખાંડ બનાવ્યા વિના તેને સીધો જ ઇથેનોલ બનાવવામાં વાપરવો, જેમાં સૌથી વધુ ઉત્પાદન મળે છે.

રસમાંથી થોડી ખાંડ અલગ કર્યા પછી બચેલી ઘટ્ટ ચાસણી (Syrup) માંથી ઇથેનોલ બનાવવું.

ખાંડ બનાવવાની પ્રક્રિયાના અંતે વેસ્ટ તરીકે બચતા મોલાસીસનો ઉપયોગ કરવો.

આ પણ વાંચોઃ શું ભારતમાં 100% ઇથેનોલથી વાહનો દોડશે? નીતિન ગડકરીનો 22 લાખ કરોડ બચાવવાનો માસ્ટર પ્લાન

મિલથી લઈને ઇથેનોલ બનવા સુધીની આખી પ્રક્રિયા

ક્રશિંગ અને એક્સ્ટ્રેક્શન: સૌથી પહેલા ખેતરમાંથી કાપેલી શેરડી સુગર મિલમાં પહોંચે છે, જ્યાં તેને મોટા ક્રશરમાં નાખીને તેનો રસ નીચોવી લેવામાં આવે છે.

ફર્મેન્ટેશન (આથો લાવવાની પ્રક્રિયા): આ રસ અથવા મોલાસીસને મોટી આથો ટાંકીઓ (Fermentation Tanks) માં ભરવામાં આવે છે. આ મિશ્રણમાં ખાસ પ્રકારના યીસ્ટ (Yeasts) ઉમેરવામાં આવે છે, જે શેરડીમાં રહેલી કુદરતી શર્કરાને આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં બદલી નાખે છે. આ પ્રોસેસથી જે પ્રવાહી તૈયાર થાય છે તેને 'વોશ' કહે છે, જેમાં 8% થી 10% આલ્કોહોલ હોય છે.

ડિસ્ટિલેશન (નિસ્યંદન): આ પ્રવાહીને ડિસ્ટિલેશન પ્લાન્ટમાં ગરમ કરવામાં આવે છે. પાણી કરતાં આલ્કોહોલ વહેલો વરાળ બની જતો હોવાથી તેની વરાળને અલગ એકઠી કરીને ઠંડી પાડવામાં આવે છે, જેનાથી પ્રવાહી સ્વરૂપે 95% શુદ્ધ ઇથેનોલ મળી જાય છે.

ગાડીઓમાં વપરાતું ફ્યુઅલ-ગ્રેડ ઇથેનોલ કેવી રીતે બને છે?

પેટ્રોલમાં મિક્સ કરવા માટે ઇથેનોલની શુદ્ધતા 99.8% થી વધુ હોવી અનિવાર્ય છે. આ ધોરણ પ્રાપ્ત કરવા માટે 'મોલેક્યુલર ચાળણી' (Molecular Sieves) જેવી આધુનિક ડિહાઇડ્રેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આલ્કોહોલમાં રહેલો ભેજ કે પાણીનો છેલ્લો કણ પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલું સો ટકા શુદ્ધ ઇથેનોલ ગાડીઓમાં ઈંધણ તરીકે વાપરવા માટે એકદમ યોગ્ય ગણાય છે.

આ પણ વાંચોઃ Exponent Energy: હવે માત્ર 15 મિનિટમાં ચાર્જ થઈ જશે ઈલેક્ટ્રિક વાહન, એક્સપોનન્ટ એનર્જીની આ ટેક્નોલોજી છે ખૂબ જ ખાસ

Frequently Asked Questions

શા માટે ઇથેનોલ વૈકલ્પિક ઇંધણ તરીકે મહત્વનું છે?

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલ એક મજબૂત વિકલ્પ છે. તે ખેડૂતોને પણ આર્થિક રીતે મદદ કરે છે.

1 લિટર શુદ્ધ ઇથેનોલ બનાવવા કેટલી શેરડીની જરૂર પડે છે?

જો શેરડીના રસનો સીધો જ ઉપયોગ કરવામાં આવે તો, 1 લિટર શુદ્ધ ઇથેનોલ બનાવવા આશરે 12 થી 15 કિલોગ્રામ શેરડીની જરૂર પડે છે.

1 ટન શેરડીમાંથી કેટલું ઇથેનોલ બને છે?

સીધા રસ વાપરવાની પદ્ધતિથી 1 ટન શેરડીમાંથી 70 થી 84 લિટર ઇથેનોલ મળે છે. મોલાસીસ પદ્ધતિથી માત્ર 10 થી 11 લિટર જ બને છે.

ઇથેનોલ ઉત્પાદનની મુખ્ય પદ્ધતિઓ કઈ છે?

શેરડીના રસનો સીધો ઉપયોગ, રસમાંથી થોડી ખાંડ બનાવ્યા પછી બચેલી ચાસણીનો ઉપયોગ, અને ખાંડ બનાવ્યા પછીના મોલાસીસનો ઉપયોગ એ મુખ્ય પદ્ધતિઓ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
Tax Rules: પતિ-પત્ની પરસ્પર ગિફ્ટમાં આપે શેર તો શું લાગશે ટેક્સ? ITRના આ નિયમોનું રાખો ખાસ ધ્યાન
Tax Rules: પતિ-પત્ની પરસ્પર ગિફ્ટમાં આપે શેર તો શું લાગશે ટેક્સ? ITRના આ નિયમોનું રાખો ખાસ ધ્યાન
Oracle Layoffs: ઓરેકલ કંપનીએ ફરી કરી મોટી છટણી, વધુ 500 કર્મચારીઓએ ગુમાવી નોકરી
Oracle Layoffs: ઓરેકલ કંપનીએ ફરી કરી મોટી છટણી, વધુ 500 કર્મચારીઓએ ગુમાવી નોકરી
LPG e-KYCથી લઈને ITR સુધી, 2 દિવસ બાદ બદલાઈ રહ્યા છે આ નિયમો
LPG e-KYCથી લઈને ITR સુધી, 2 દિવસ બાદ બદલાઈ રહ્યા છે આ નિયમો
Advertisement

વિડિઓઝ

Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ ટી20 સીરીઝ ક્યારથી શરુ થશે, અહીં જુઓ 5 મેચનું સંપૂર્ણ શેડ્યૂલ 
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ ટી20 સીરીઝ ક્યારથી શરુ થશે, અહીં જુઓ 5 મેચનું સંપૂર્ણ શેડ્યૂલ 
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
હંમેશા માટે બંધ થઈ જશે ગેસ સબસિડી! બે દિવસમાં કરી લો આ કામ, જાણો LPG e-KYCની પ્રોસેસ
હંમેશા માટે બંધ થઈ જશે ગેસ સબસિડી! બે દિવસમાં કરી લો આ કામ, જાણો LPG e-KYCની પ્રોસેસ
Embed widget