શોધખોળ કરો

Meta Layoffs: ફેસબુક-વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ ફરીથી 10,000 કર્મચારીઓની છટણી કરવાનો લીધો નિર્ણય

Meta Layoffs:  ફેસબુક અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ નવી છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. મેટા તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પરથી લગભગ 10,000 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે.

Meta Layoffs:  ફેસબુક અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ નવી છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. મેટા તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પરથી લગભગ 10,000 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે. આ અગાઉ, કંપનીએ નવેમ્બર 2022 માં પણ 11,000 કર્મચારીઓની છટણી કરી હતી.

મેટા પ્લેટફોર્મની આ છટણી પછી, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 2021 ના ​​મધ્યભાગ જેટલી થઈ જશે. કોરોના સમયગાળા દરમિયાન (કોવિડ -19), કંપનીએ 2020 થી જબરદસ્ત ભરતી કરી હતી. આ ભરતી બાદ કંપનીમાં કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ હતી. LinkedIn દ્વારા, કંપનીએ કર્મચારીઓને આ છટણી વિશે નવેસરથી જાણ કરી છે. આ છટણીમાં, એડ સેલ્સ ટીમ, માર્કેટિંગ અને પાર્ટનરશિપ ટીમની ઘટશે.

મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગે માર્ચમાં જણાવ્યું હતું કે છટણીનો બીજો રાઉન્ડ આગામી થોડા મહિનામાં ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. મોટે ભાગે આ છટણી નોન-એન્જિનિયરિંગ પોસ્ટ માટે છે. તાજેતરમાં, કંપનીના ટાઉનહોલમાં, માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં 4000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી.

મેટા દ્વારા આ છટણી આવકમાં ઘટાડો, ફુગાવો અને છેલ્લા કેટલાક મહિનામાં ડિજિટલ જાહેરાતમાં ઘટાડાનું પરિણામ છે. જેમાં કોરોના સમયગાળા દરમિયાન તેજી જોવા મળી હતી. Meta એ રિયલ્ટી લેબ્સ વિભાગમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે જે Metaverse વિકસાવે છે. જોકે આ યુનિટને 13.7 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. અગાઉ નવેમ્બર 2022 માં, મેટાએ તેના 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો.

વૈશ્વિક આર્થિક કટોકટી, વધતા વ્યાજ દરો અને નિયમનકારી પડકારોને લીધે, આલ્ફાબેટ અને એમેઝોન જેવી કંપનીઓએ પણ તાજેતરના સમયમાં નોકરીમાંથી છટણી કરી રહી છે. માઈક્રોસોફ્ટ અને ટ્વિટરે પણ સામૂહિક છટણી કરી છે.

હવે આ મોટી કંપનીઓની છટણીની યોજના, હજારો લોકો ગુમાવશે નોકરી

નોરંજન ઉદ્યોગની જાયન્ટ કંપની વોલ્ટ ડિઝનીમાં છટણીની પ્રક્રિયા ચાલુ છે. હવે કંપનીએ છટણીના ત્રીજા રાઉન્ડની યોજના બનાવી છે. IANSના અહેવાલ મુજબ, કંપનીની આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 2500 થી વધુ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે. કંપનીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના ખર્ચમાં કાપ મૂકવાના ઈરાદાથી આ પગલું ભરી રહી છે.

છટણીથી કોને અસર થશે

રિપોર્ટ અનુસાર, છટણીની તૈયારીને કારણે કંપનીએ ઘણા ટાઇટલ પણ હટાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ પાર્ક અને રિસોર્ટ ડિવિઝનના કર્મચારીઓની નોકરીઓ સુરક્ષિત રહેશે. નોંધનીય છે કે કંપનીના છટણીના બીજા રાઉન્ડમાં ટેલિવિઝન વિભાગમાં કામ કરતા લોકોને સૌથી વધુ ફટકો પડ્યો હતો. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, ડિઝનીના છટણીના ત્રીજા રાઉન્ડ પછી અમુક કંપની દ્વારા બરતરફ કરાયેલા કર્મચારીઓની સંખ્યા લગભગ 7,000 હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget