રેલ્વે મુસાફરો ધ્યાન આપો: 1 માર્ચથી UTS એપ બંધ થશે, હવે આ નવી એપથી જ બુક થશે ટિકિટ; જાણો સંપૂર્ણ વિગત
પેસેન્જર્સ માટે એલર્ટ: ટિકિટ બુકિંગ માટે 'RailOne' એપ બની એકમાત્ર વિકલ્પ; જુના વોલેટનું બેલેન્સ સુરક્ષિત રહેશે, જાણો નવી એપના 5 મોટા ફાયદા અને ડાઉનલોડ કરવાની રીત.

UTS App Closing Date: રેલવે મુસાફરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ લોકલ ટ્રેન અથવા જનરલ ડબ્બામાં મુસાફરી કરવા માટે મોબાઈલથી ટિકિટ બુક કરાવો છો, તો સાવધાન થઈ જજો. ભારતીય રેલવેએ 'ડિજિટલ ઈન્ડિયા' (Digital India) ને વેગ આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આગામી 1 March થી વર્ષો જૂની અને લોકપ્રિય 'UTS એપ' (UTS App) હંમેશ માટે બંધ કરવામાં આવશે. રેલવેએ તમામ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ છેલ્લી ઘડીની હેરાનગતિથી બચવા માટે તાત્કાલિક નવી 'રેલવન એપ' (RailOne App) પર સ્વિચ કરી લે. હવેથી રેલવેની તમામ ઓનલાઈન સુવિધાઓ માટે આ એકમાત્ર 'સત્તાવાર પ્લેટફોર્મ' (Official Platform) રહેશે.
મુસાફરોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમના જૂના UTS એપના 'આર-વોલેટ' (R-Wallet) માં પડેલા પૈસાનું શું થશે? તો રેલવેએ ખાતરી આપી છે કે તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. તમારું વોલેટ બેલેન્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે ન તો 'એક્સપાયર' (Expire) થશે કે ન તો તમારા પૈસા ડૂબી જશે. રેલવેએ ડેટા માઈગ્રેશનની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી છે.
તમે જેવી નવી RailOne એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને તમારા જૂના નંબરથી 'લોગ-ઈન' (Log-in) કરશો, કે તરત જ તમારું જૂનું બેલેન્સ 'ઓટોમેટિક ટ્રાન્સફર' (Automatic Transfer) થઈ જશે અને ત્યાં ઉપયોગમાં લઈ શકાશે. જોકે, એક નવો નિયમ પણ લાગુ કરાયો છે. જે યુઝર્સ હવે જૂની UTS એપ અપડેટ કરશે, તેઓ તેમાં નવું રિચાર્જ કરી શકશે નહીં કે પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકશે નહીં. તેથી નવી એપ ડાઉનલોડ કરવી હવે અનિવાર્ય બની ગયું છે.
રેલવેએ મુસાફરોની સુવિધા માટે આ નવી એપને 'ઓલ-ઈન-વન' (All-in-One) સુપર એપ તરીકે તૈયાર કરી છે. જેમાં બુકિંગની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. હવે મુસાફરો એક જ એપથી રિઝર્વડ, 'અનરિઝર્વડ' (Unreserved - General) અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકશે. પેમેન્ટ માટે પણ 'યુપીઆઈ' (UPI), ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને 'નેટ બેંકિંગ' (Net Banking) જેવા સુરક્ષિત વિકલ્પો આપવામાં આવ્યા છે.
મુસાફરી દરમિયાન ઉપયોગી થાય તેવા અન્ય ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. હવે તમે ટ્રેન ક્યાં પહોંચી છે તેનું 'લાઈવ સ્ટેટસ' (Live Status), કોચની સ્થિતિ અને પ્લેટફોર્મ નંબરની સચોટ માહિતી પણ આ એપ પર જોઈ શકશો. આ ઉપરાંત, ટિકિટ કેન્સલ કરવી, PNR સ્ટેટસ ચેક કરવું અને રિફંડ (Refund) મેળવવું હવે પહેલા કરતા વધુ પારદર્શક અને સરળ બન્યું છે.
વધારાની સુવિધાઓમાં 'ફૂડ ઓર્ડરિંગ' (Food Ordering) નો સમાવેશ થાય છે. મુસાફરો હવે IRCTC ના માન્ય વેન્ડર્સ પાસેથી સીધું પોતાની સીટ પર ગરમાગરમ જમવાનું મંગાવી શકશે. તેમજ જો મુસાફરી દરમિયાન કોઈ તકલીફ હોય કે ગંદકી હોય, તો એપમાં ઈન્ટીગ્રેટેડ 'રેલમદદ' (RailMadad) ફીચર દ્વારા ત્વરિત ફરિયાદ પણ નોંધાવી શકાશે.
UTS એપના ઇતિહાસની વાત કરીએ તો, આ મોબાઈલ ટિકિટિંગ સેવા 27 December, 2014 ના રોજ શરૂ થઈ હતી. શરૂઆતમાં તે માત્ર મુંબઈ લોકલ માટે હતી અને ત્યારબાદ 2018 થી સમગ્ર ભારતમાં તેને લાગુ કરવામાં આવી હતી. પરંતુ હવે બદલાતી ટેકનોલોજી અને મુસાફરોની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રેલવેએ આ નવું અને આધુનિક પરિવર્તન કર્યું છે.























