શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારતની આર્થિક મંદી અસ્થાયી, ભવિષ્યમાં સુધારો થવાની આશાઃ IMF ચીફ
વાસ્તવમાં ક્રિસ્ટાલીના જૉર્જીવાએ કહ્યું કે, ભારતમાં આર્થિક મંદી હંગામી છે અને આવનારા સમયમાં તેમાં સુધારાની આશા છે.
![ભારતની આર્થિક મંદી અસ્થાયી, ભવિષ્યમાં સુધારો થવાની આશાઃ IMF ચીફ Indias economic slowdown is temporary, situation will improve going ahead, says IMF chief ભારતની આર્થિક મંદી અસ્થાયી, ભવિષ્યમાં સુધારો થવાની આશાઃ IMF ચીફ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/25034838/8.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આર્થિક મંદીના કારણે ટીકાનો સામનો કરી રહેલા નરેન્દ્ર મોદી સરકારને આઇએમએફના વડા ક્રિસ્ટાલિના જૉર્જીવાના નિવેદને થોડી રાહત આપી છે. વાસ્તવમાં ક્રિસ્ટાલીના જૉર્જીવાએ કહ્યું કે, ભારતમાં આર્થિક મંદી હંગામી છે અને આવનારા સમયમાં તેમાં સુધારાની આશા છે. જૉર્જીવાએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2020માં આ વાત કરી હતી. જૉર્જીવાએ ઉભરતા બજારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ આગળ વધી રહ્યા છે.
તેમણે કહ્યુ કે, આપણે એક મોટા બજાર ભારતમાં ઘટાડો જોયો છે પરંતુ અમારુ માનવું છે કે આ અસ્થાયી છે અને આવનારા સમયમાં ગતિમાં સુધારો થઇ શકે છે. ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા કેટલાક અન્ય સારા બજાર પણ છે. તેમના મતે અનેક આફ્રિકન દેશ પણ સારુ કરી રહ્યા છે. પરંતુ મેક્સિકો જેવા કેટલાક દેશ સારુ પ્રદર્શન કરી રહ્યા નથી.
ક્રિસ્ટાલિનાનું નિવેદન એવા સમયમાં આવ્યુ છે જ્યારે આઇએમએફએ તાજેતરમાં જ ભારતીય અર્થવ્યવસ્થામાં વધારાનો અંદાજ ઘટાડી દીધો હતો. આઇએમએફએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-2020માં ભારતનો જીડીપીનો દર ફક્ત 4.8 ટકા રહેશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)