ભારતે આ તેલ એટલા માટે સ્વીકાર્યું નથી કારણ કે તે કોણે ખરીદ્યું છે અને ક્યાંથી મોકલવામાં આવ્યું છે તેની કોઈ સત્તાવાર માહિતી નથી. આ ઉપરાંત, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સમયમર્યાદાનો ભંગ થયો છે.
20 લાખ બેરલ તેલ લઈને આવેલું ઈરાની જહાજ ગુજરાત પહોંચ્યું, પણ ભારતે કેમ પાછું કાઢ્યું?
અમેરિકન પ્રતિબંધોના નિયમોનો ભંગ અને માલિકીની કોઈ સ્પષ્ટ માહિતી ન હોવાથી ભારતીય રિફાઇનરીઓએ ક્રૂડ ઓઈલ સ્વીકારવાનો કર્યો સાફ ઇનકાર.

- ઈરાનથી ૨૦ લાખ બેરલ ક્રૂડ ઓઈલ ગુજરાત પહોંચ્યું.
- ભારતીય રિફાઇનરીઓએ તેલ સ્વીકારવાનો ઇનકાર કર્યો.
- અમેરિકી પ્રતિબંધો અને ડેડલાઇન ઓળંગવાના કારણે નિર્ણય.
- તેલ કોણે મંગાવ્યું, તેની સત્તાવાર માહિતી નથી.
Iran war oil impact: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનથી આશરે 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ (કાચું તેલ) ભરીને એક મોટું જહાજ તાજેતરમાં ગુજરાતના બંદરે આવી પહોંચ્યું છે. જોકે, ભારતીય રિફાઇનરીઓએ આ તેલ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ જહાજ કોણે મંગાવ્યું, તેલ કોણે ખરીદ્યું છે અને તેના દસ્તાવેજો શું છે, તેવી કોઈ જ સત્તાવાર માહિતી ન હોવાથી તેમજ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી ભારતે આ તેલ લેવાનો ઇનકાર કરી દીધો છે.
કોઈ જ જાણ વિના અચાનક ગુજરાત પહોંચ્યું ઓઈલ ટેન્કર
હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની અછત વર્તાઈ રહી છે. આ બધાની વચ્ચે, કોઈને પણ જાણ કર્યા વિના ઈરાનથી 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ લઈને એક મોટું જહાજ અચાનક ગુજરાત પહોંચી ગયું. 'ઈન્ડિયન એક્સપ્રેસ' ના એક રિપોર્ટ અનુસાર, ભારતની કોઈપણ રિફાઇનરી આ ઓઈલ ટેન્કરનો સ્વીકાર કરવાની નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે આટલું બધું તેલ કોણે ખરીદ્યું છે અને તે ક્યાંથી મોકલવામાં આવ્યું છે, તે અંગે કોઈની પણ પાસે સત્તાવાર માહિતી કે સ્પષ્ટતા નથી.
અમેરિકન પ્રતિબંધો અને ડેડલાઈનનો ભંગ
ભારતે આ તેલ ન સ્વીકારવા પાછળનું બીજું અને સૌથી મોટું કારણ અમેરિકાના પ્રતિબંધો છે. મંગળવારે ગુજરાતના બંદરે પહોંચેલા આ 'વેરી લાર્જ ક્રૂડ કેરિયર' (VLCC) જહાજનું નામ 'ડેર્યા' (Derya) છે. શિપ ટ્રેકિંગ ડેટા આપતી એજન્સી 'કેપ્લર' (Kpler) ના રિપોર્ટ મુજબ, આ ટેન્કરમાં 28 માર્ચના રોજ ઈરાની ક્રૂડ ઓઈલ ભરવામાં આવ્યું હતું.
અહીં જ સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ તેમાંથી થોડી છૂટછાટ આપતા એવી શરત રાખી હતી કે 20 માર્ચ પહેલા ટેન્કરોમાં ભરેલા ઈરાની તેલનું જ વેચાણ કરી શકાશે. આ જહાજમાં 28 માર્ચે તેલ ભરવામાં આવ્યું હોવાથી, તેણે અમેરિકા દ્વારા અપાયેલી છૂટછાટની સમયમર્યાદા (ડેડલાઈન) વટાવી દીધી છે. આથી, જો ભારત આ તેલ સ્વીકારે તો અમેરિકન નિયમોનો ભંગ થાય તેમ છે, જેના કારણે આ જહાજને સ્વીકારવામાં આવ્યું નથી.
Frequently Asked Questions
ઈરાનથી ગુજરાત બંદરે આવેલું તેલ ભારતે કેમ સ્વીકાર્યું નથી?
ગુજરાત બંદરે કયું જહાજ અને કેટલું તેલ લઈને આવ્યું હતું?
ઈરાનથી 'ડેર્યા' (Derya) નામનું એક મોટું જહાજ આશરે 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ (કાચું તેલ) ભરીને ગુજરાતના બંદરે આવી પહોંચ્યું હતું.
આ તેલ સ્વીકારવાનો ઇનકાર કરવા પાછળ અમેરિકન પ્રતિબંધો કેવી રીતે કારણભૂત છે?
અમેરિકાએ ઈરાની તેલ પર પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ 20 માર્ચ પહેલા ભરેલા તેલના વેચાણને છૂટ આપી હતી. આ જહાજમાં 28 માર્ચે તેલ ભરાયું હોવાથી, અમેરિકાની છૂટછાટની સમયમર્યાદા વટાવી ગઈ છે.





















