શોધખોળ કરો

Muhurat Trading: એક ક્લિકે જાણો દિવાળી પર શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગની તમામ માહિતી

Muhurat Trading: હવે BSE ના નવીનતમ પરિપત્રમાં પુષ્ટિ કરવામાં આવી છે કે દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની તારીખ 1લી નવેમ્બર નક્કી કરવામાં આવી છે અને તેના આધારે તમારે તમામ ટ્રેડિંગ સમય જાણીલો.

Muhurat Trading: આ વખતે દિવાળીના તહેવારને લઈને થોડી મૂંઝવણ હતી કે તે કયા દિવસે ઉજવવામાં આવશે એટલે કે 31મી ઓક્ટોબર કે 1લી નવેમ્બર. જો કે, મોટા ભાગના સ્થળોએ 31મી ઓક્ટોબરે જ દિવાળી ઉજવવાનું કહેવામાં આવ્યું છે. દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ માટે શેરબજારમાં તૈયારીઓ ચાલી રહી છે અને હવે BSEના લેટેસ્ટ સર્ક્યુલરમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની તારીખ 1 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

જાણો કયો સમય નક્કી કરવામાં આવ્યો છે?
એક કલાકના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનો સમય એટલે કે મુહૂર્ત ટ્રેડિંગનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે. BSE અને NSEએ આ જાહેરાત કરીને મૂંઝવણ દૂર કરી છે. એક્સચેન્જ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, પ્રી-ઓપનિંગ સેશન સાંજે 5:45 થી 6:00 વાગ્યા સુધી યોજાશે. બ્લોક ડીલ વિન્ડો સાંજે 5:30 થી 5:45 સુધી ખુલ્લી રહેશે.

એક્સચેન્જના પરિપત્રોમાં જાણો રીઅલટાઇમ અપડેટ્સ
એક્સચેન્જ પરિપત્ર એ પણ દર્શાવે છે કે પ્રી-ઓપનિંગ સેશન સાંજે 5.45 થી 6 વાગ્યા સુધી ચાલશે. બ્લોક ડીલ વિન્ડોનો સમય સાંજે 5.30 થી 5.45 સુધીનો રહેશે. પીરીયોડિક કોલ ઓક્શનનો સમય સાંજે 6:05 થી 6:50 સુધીનો રહેશે. BSE અનુસાર, ઓર્ડર એન્ટ્રી સેશન છેલ્લી 10 મિનિટમાં બંધ થઈ જશે. ક્લોજીંગ સત્ર સાંજે 7.10 થી 7.10 સુધી રહેશે અને પોસ્ટ ક્લોજીંગ સમયગાળો સાંજે 7.10 થી 7.20 સુધીનો રહેશે.

જાણો મુહૂર્ત ટ્રેડિંગ શું છે?
દર વર્ષે દિવાળી પર BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEમાં મુહૂર્ત ટ્રેડિંગ થાય છે. હિંદુ કેલેન્ડર મુજબ, દિવાળીનો તહેવાર નવા વર્ષનો પ્રથમ દિવસ છે અને તેથી આ દિવસને શુભ બનાવવા માટે, એક કલાકનું વિશેષ ટ્રેડિંગ કરવામાં આવે છે જેને મુહૂર્ત વેપાર કહેવામાં આવે છે. આ વખતે રોકાણકારો સંવત 2081 ની શરૂઆત દરમિયાન શુભ લક્ષ્મી પૂજા સાથે તેમના ઘરેથી ઓનલાઈન ટ્રેડિંગ કરી શકે છે.

જો કે, દિવાળી 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે

તમને જણાવી દઈએ કે, ભલે મુહૂર્ત ટ્રેડિંગ 1 નવેમ્બરના રોજ કરવામાં આવે પરંતુ દિવાળી 31 ઓક્ટબરના રોજ જ ઉઝવવામાં આવશે. કારતક મહિનાની અમાવસ્યા તિથિ ગુરુવાર, 31 ઓક્ટોબર, 2024 ના રોજ બપોરે 2:52 વાગ્યે શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે શુક્રવાર, 1 નવેમ્બર સાંજે 6:16 વાગ્યે સમાપ્ત થશે. બંને દિવસે અમાવસ્યા તિથિના કારણે આ મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે. પરંતુ પ્રદોષકાળ (Pradosh kaal)  દરમિયાન દિવાળીની પૂજાને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો...

લોન માટે અરજી કરતા પહેલા પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો શા માટે મહત્વપૂર્ણ છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાડૂઆત પણ છે ફ્લેટનો માલિક! મકાનમાલિકની મનમાનીને અટકાવવા માટે જાણો આ 5 કાયદાકીય અધિકારો
ભાડૂઆત પણ છે ફ્લેટનો માલિક! મકાનમાલિકની મનમાનીને અટકાવવા માટે જાણો આ 5 કાયદાકીય અધિકારો
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
Embed widget