શોધખોળ કરો

GST Rates: GSTમાં ઘટાડા બાદ દર મહિને કેટલો ઓછો થશે ઘરનો ખર્ચ? જાણી લો તમામ ખર્ચનો હિસાબ

GST Council meeting: ઘી, તેલ અને લોટ વગેરે જેવી દૈનિક ઉપયોગની બધી વસ્તુઓ પર GSTમાં ઘટાડો કરવામાં આવ્યો છે

GST Council meeting:  નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે (03 સપ્ટેમ્બર) ના રોજ GST કાઉન્સિલની 56મી બેઠકના નિર્ણયોની જાહેરાત કરી હતી. આ દરમિયાન, GST દરોમાં મોટો ફેરફાર જાહેર કરવામાં આવ્યો. આ ફેરફારથી સામાન્ય લોકોને ઘણી રાહત મળવાની અપેક્ષા છે, કારણ કે ઘી, તેલ અને લોટ વગેરે જેવી દૈનિક ઉપયોગની બધી વસ્તુઓ પર GSTમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે GSTમાં ઘટાડો થયા પછી તમારા ઘરના ખર્ચમાં કેટલો ઘટાડો થશે?

નાણામંત્રીએ આ વાત કહી

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ ફેરફાર 'GST 2.0'નો ભાગ છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં આપેલા વચનને અનુરૂપ છે. તેમણે કહ્યું કે આ પગલું સામાન્ય માણસ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને MSME ને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે. બેઠકનું ધ્યાન દરોના તર્કસંગતકરણ પર હતું, જ્યાં 12 ટકા સ્લેબની 99 ટકા વસ્તુઓને 5 ટકા માં ખસેડવામાં આવી હતી. 28 ટકા સ્લેબની 90 ટકા વસ્તુઓને 18 ટકામાં ખસેડવામાં આવી હતી. આનાથી રોજિંદા ઉપયોગની વસ્તુઓ પરનો ટેક્સ ઘટશે, જેનાથી મોંઘવારી પર નિયંત્રણ રાખવામાં મદદ મળશે.

કઈ વસ્તુ કેટલી સસ્તી થશે?

GST ઘટાડાનો સૌથી મોટો ફાયદો ઘરના બજેટ પર થશે. આપણે ઘી, તેલ, લોટ અને મીઠું જેવી રોજબરોજની વસ્તુઓના નવા દરોના આધારે ગણતરી કરીએ છીએ. ચાર લોકોના પરિવારના માસિક બજેટને આધારે, આપણે જોઈએ છીએ કે કેટલી બચત થશે.

ઘી: પહેલા ઘી પર 12 ટકા GST લાગતો હતો, જે હવે ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જો આપણે ધારીએ કે બજારમાં એક કિલો ઘીનો મૂળ ભાવ 500 રૂપિયા છે, તો જૂના દરે GST 60 રૂપિયા હતો. આ પછી કુલ કિંમત 560 રૂપિયા થશે. નવા દરે 25 રૂપિયા GST લાગશે, જેના પછી કિંમત ફક્ત 525 રૂપિયા થશે. જો કોઈ પરિવાર દર મહિને 2 કિલો ઘી વાપરે છે, તો 70 રૂપિયાની બચત થશે.

તેલ: ખાદ્ય તેલ પહેલાથી જ મોટાભાગે 5 ટકા સ્લેબમાં હતું, પરંતુ કેટલીક પેકેજ્ડ બ્રાન્ડ્સ પર 12 ટકા GST હતો. હવે બધાને 5 ટકામાં ખસેડવામાં આવ્યા છે. જો આપણે ધારીએ કે 1 લિટર તેલનો બેસિક ભાવ 150  રૂપિયા છે, તો જૂના 12 ટકાના દરે GST 18 રૂપિયા હતો. નવા 5 ટકાના દરે GST 7.5 રૂપિયા થશે. આ મુજબ 5 લિટર તેલ પર 52.5 રૂપિયાની બચત થશે.

લોટ: પહેલા બ્રાન્ડ વગરના લોટ પર કોઈ GST નહોતો પરંતુ બ્રાન્ડેડ લોટ પર 5 ટકા GST લાગતો હતો. હવે બ્રાન્ડેડ પેકેજ્ડ લોટને પણ શૂન્ય ટકા GSTમાં ખસેડવામાં આવ્યો છે. જો લોટનો ભાવ પ્રતિ કિલો 40 રૂપિયા હોય, તો પહેલા 5 ટકા GST મુજબ 20 રૂપિયા વધારાના ચૂકવવા પડતા હતા.

મીઠું: મીઠું પહેલાથી જ 0 ટકા પર હતું અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં તેના ભાવ પહેલા જેવા જ રહેશે. આ ઉપરાંત, માખણ, પનીર, રોટલી, પીત્ઝા, દૂધ, રોટલી અને પરાઠા વગેરે પર કોઈ GST રહેશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget