શોધખોળ કરો

ATMમાંથી પાંચ હજાર રૂપિયા જ ઉપાડી શકાશે?, વધારે ઉપાડવા પર લાગશે કેટલો ટેક્સ?

ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઇની એક સમિતિએ પોતાના રિપોર્ટમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટ ઘટાવવાની ભલામણ કરી છે

નવી દિલ્હીઃ એટીએમમાંથી રૂપિયા ઉપાડવા લોકોને  મોંઘા પડી શકે છે. ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઇની એક સમિતિએ પોતાના રિપોર્ટમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટ ઘટાવવાની ભલામણ કરી છે. આ સમિતિએ ભલામણ કરી છે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટ પાંચ હજાર રૂપિયા નક્કી કરવામાં આવવી જોઇએ. તે સિવાય એટીએમના ઉપયોગની ફિસ પણ વધારવાની ભલામણ કરી હતી.  મનીલાઇફની એક રિપોર્ટ અનુસાર, આરબીઆઇની એક સમિતિએ એટીએમથી થનારા તમામ પ્રકારના ટ્રાજેક્શન પર ઇન્ટર ચેન્જ ચાર્જ ઘટાડવાની ભલામણ કરી હતી. સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે  એટીએમમાંથી પ્રત્યેક ટ્રાજેક્શનની લિમિટ 5000 રૂપિયા નક્કી કરવી જોઇએ. જો કોઇ તેનાથી વધારે રૂપિયા ઉપાડે છે તો પ્રત્યેક ટ્રાજેક્શન પર ચાર્જ વસૂલવામાં આવવો જોઇએ. આ સમિતિએ 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો માટે આ ચાર્જમાં 24 ટકાથી વધુ લેવાની ભલામણ કરી હતી.આરબીઆઇએ થોડા સમય અગાઉ એટીએમ ઇન્ટરચેન્જ ફીસ સ્ટ્રક્ચરની સમીક્ષા માટે આ સમિતિની રચના કરી હતી. આરટીઆઇ કાર્યકર્તા શ્રીકાંત એલની અરજી પર આરબીઆઇએ આ રિપોર્ટ ઉપબલ્ધ કરાવ્યો છે. આરટીઆઇમાં મળેલી જાણકારી અનુસાર આરબીઆઇએ  ઇન્ડિયન બેન્ક અસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટિવ વીજી કન્નનની અધ્યક્ષતામાં બનાવેલી સમિતિએ રોકડ ઉપાડવાની આદતને ઓછી કરવા માટેની ભલામણો પોતાના રિપોર્ટમાં કરી હતી. રિપોર્ટ 22 ઓક્ટોબર 2019માં રિઝર્વ બેન્કને સોંપવામાં આવી હતી. જોકે, તેને હજુ સુધી સાર્વજનિક કરવામાં આવી નથી. પરંતુ આરટીઆઇ કાર્યકર્તા શ્રીકાંત એલની આરટીઆઇ અરજી પર આ વાતનો ખુલાસો થયો હતો. આરબીઆઇની સમિતિએ પોતાના રિપોર્ટમાં સિંગલ બ્રાન્ચ ટ્રાજેક્શન અને સિંગલ એટીએમ ટ્રાજેક્શનના ચાર્જની તુલના કરી હતી. સમિતિએ એટીએમમાંથી એક ટ્રાજેક્શનની સીમા 5000 રૂપિયા કરવાની ભલામણ કરી છે. તેનાથી વધુ રૂપિયા ઉપાડવા પર ચાર્જ લગાવવાની વાત કરી છે. આ સમયે અલગ અલગ કાર્ડ માટે એક ટ્રાજેક્શનમાં અને એક દિવસમાં પૈસા ઉપાડવાની લિમિટ અલગ અલગ છે. આ સમિતિમાં દિલીપ એસ્બે, ગિરી કુમાર નાયર, એસ સમ્પથ કુમાર, કે શ્રીનિવાસ અને સંજીવ પટેલ સામેલ હતા. સમિતિએ કહ્યું હતું કે, 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં ફ્રી ટ્રાજેક્શનની સંખ્યાને પ્રત્યેક મહિને પાંચથી વધારીને છ કરવામાં આવે અને 10 લાખથી વધુ સંખ્યા ધરાવતા શહેરોમાં ફ્રી ટ્રાજેક્શનની સંખ્યા પ્રત્યેક મહિને ત્રણ રાખવામાં આવે. ફ્રી ટ્રાજેક્શનની સીમા પૂર્ણ થવા પર પ્રત્યેક ટ્રાજેક્શન પર 24 ટકા પ્લસ ચાર્જ લગાવવામાં આવે. 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો પર ફાઇનાન્સિયલ ટ્રાજેક્શન માટે ઇન્ટરચેન્જ ફી નેટ 2 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને નોન ફાઇનાન્સિયલ ટ્રાજેક્શન માટે ઇન્ટરચેન્જ ફિસને 7 રૂપિયા રાખવાની ભલામણ કરાઇ હતી. તે સિવાય 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો પર ફાઇનાન્સિયલ અને નોન ફાઇનાન્સિયલ બંન્ને પ્રકારના ટ્રાજેક્શન માટે ઇન્ટરચેન્જ ફીસમાં 3 રૂપિયાનો વધારો કરવાની ભલામણ કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Embed widget