શોધખોળ કરો

RBI On Adani : નાણાંમંત્રી બાદ હવે RBIએ અદાણી ગ્રુપ વિવાદ પર આપ્યું મહત્વનું નિવેદન

આરબીઆઈએ અદાણી મામલે પોતાનું એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ભારતીય બેંકો દ્વારા બિઝનેસ ગ્રુપને આપવામાં આવેલી લોનને લઈને માધ્યમોમાં અનેક પ્રકારની બાબતો ચર્ચાઈ રહી છે.

RBI On Adani Group: અદાણી ગ્રુપને લઈને ઉભા થયેલા વિવાદના વંટોળને લઈને હવે ભારતની સૌથી મોટી બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ મહત્વનું નિવેદન આપ્યું છે. બેન્કિંગ સેક્ટરના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અદાણી જૂથની ભારતીય બેન્કો દ્વારા આપવામાં આવેલી લોન અંગે નિવેદન બહાર પાડ્યું હતું જેમાં આરબીઆઈએ કહ્યું હતું કે, બેંકોના રેગ્યુલેટર અને સુપરવાઈઝર હોવાને કારણે આરબીઆઈ સમગ્ર બેંકિંગ સેક્ટર અને દરેક બેંક પર સતત નજર રાખે છે જેથી નાણાકીય સ્થિરતા જળવાઈ રહે.

આરબીઆઈએ અદાણી મામલે પોતાનું એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ભારતીય બેંકો દ્વારા બિઝનેસ ગ્રુપને આપવામાં આવેલી લોનને લઈને માધ્યમોમાં અનેક પ્રકારની બાબતો ચર્ચાઈ રહી છે. આરબીઆઈએ કહ્યું છે કે, બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર અને બેંકોના સુપરવાઈઝર હોવાને કારણે તે સમગ્ર બેંકિંગ સેક્ટર અને દરેક બેંક પર નજર રાખે છે જેથી દેશમાં નાણાકીય સ્થિરતા જળવાઈ રહે. આરબીઆઈએ વધુમાં ઉમેર્યું હતું કે, મોટી લોન આપવા માટે આરબીઆઈ પાસે સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઈન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ (સીઆરઆઈએલસી) ડેટાબેઝ સિસ્ટમ છે, જેમાં બેંકો દ્વારા રૂ. 5 કરોડથી વધુની લોન પર નજર રાખવામાં આવે છે. RBI અનુસાર, ભારતનું બેંકિંગ ક્ષેત્ર પારદર્શક અને સ્થિર છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે, તેના વર્તમાન મૂલ્યાંકન મુજબ ભારતનું બેંકિંગ ક્ષેત્ર ખૂબ જ પારદર્શક અને સ્થિર છે. RBI જણાવ્યા અનુસાર, કેપિટલ એડિક્વસી, સંપત્તિની ગુણવત્તા, રોકડ, પ્રોવિઝન કવરેજ, બેંકોનો નફો વધુ સારો છે. બેંકો આરબીઆઈ દ્વારા જારી કરાયેલ મોટા એક્સપોઝર ફ્રેમવર્કનું પાલન કરી રહી છે. આરબીઆઈ સતર્ક છે અને ભારતીય બેંકિંગ ક્ષેત્રની સ્થિરતા માટે કડક તકેદારી રાખી રહી છે.

આ અગાઉ નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ અદાણી ગ્રુપને લઈને ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતની બેંકિંગ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, હું જવાબદારી સાથે કહેવા માંગુ છું કે, ભારતનું બેંકિંગ ક્ષેત્ર ખૂબ જ સારી સ્થિતિમાં છે. અદાણી જૂથમાં એસબીઆઈ અને એલઆઈસી ઓવરએક્સપોઝ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, અદાણી જૂથમાં તેમની પાસે જે પણ એક્સપોઝર છે, તે નફામાં છે. એસબીઆઈના ચેરમેન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દિનેશ ખરાએ જણાવ્યું હતું કે, એસબીઆઈમાં અદાણી ગ્રુપનું એક્સ્પોઝર રૂ. 27,000 કરોડ છે, જે તેની કુલ લોન બુકના માત્ર 0.8 થી 0.9 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
Embed widget