શોધખોળ કરો

RBI On Adani : નાણાંમંત્રી બાદ હવે RBIએ અદાણી ગ્રુપ વિવાદ પર આપ્યું મહત્વનું નિવેદન

આરબીઆઈએ અદાણી મામલે પોતાનું એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ભારતીય બેંકો દ્વારા બિઝનેસ ગ્રુપને આપવામાં આવેલી લોનને લઈને માધ્યમોમાં અનેક પ્રકારની બાબતો ચર્ચાઈ રહી છે.

RBI On Adani Group: અદાણી ગ્રુપને લઈને ઉભા થયેલા વિવાદના વંટોળને લઈને હવે ભારતની સૌથી મોટી બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ મહત્વનું નિવેદન આપ્યું છે. બેન્કિંગ સેક્ટરના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અદાણી જૂથની ભારતીય બેન્કો દ્વારા આપવામાં આવેલી લોન અંગે નિવેદન બહાર પાડ્યું હતું જેમાં આરબીઆઈએ કહ્યું હતું કે, બેંકોના રેગ્યુલેટર અને સુપરવાઈઝર હોવાને કારણે આરબીઆઈ સમગ્ર બેંકિંગ સેક્ટર અને દરેક બેંક પર સતત નજર રાખે છે જેથી નાણાકીય સ્થિરતા જળવાઈ રહે.

આરબીઆઈએ અદાણી મામલે પોતાનું એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ભારતીય બેંકો દ્વારા બિઝનેસ ગ્રુપને આપવામાં આવેલી લોનને લઈને માધ્યમોમાં અનેક પ્રકારની બાબતો ચર્ચાઈ રહી છે. આરબીઆઈએ કહ્યું છે કે, બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર અને બેંકોના સુપરવાઈઝર હોવાને કારણે તે સમગ્ર બેંકિંગ સેક્ટર અને દરેક બેંક પર નજર રાખે છે જેથી દેશમાં નાણાકીય સ્થિરતા જળવાઈ રહે. આરબીઆઈએ વધુમાં ઉમેર્યું હતું કે, મોટી લોન આપવા માટે આરબીઆઈ પાસે સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઈન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ (સીઆરઆઈએલસી) ડેટાબેઝ સિસ્ટમ છે, જેમાં બેંકો દ્વારા રૂ. 5 કરોડથી વધુની લોન પર નજર રાખવામાં આવે છે. RBI અનુસાર, ભારતનું બેંકિંગ ક્ષેત્ર પારદર્શક અને સ્થિર છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે, તેના વર્તમાન મૂલ્યાંકન મુજબ ભારતનું બેંકિંગ ક્ષેત્ર ખૂબ જ પારદર્શક અને સ્થિર છે. RBI જણાવ્યા અનુસાર, કેપિટલ એડિક્વસી, સંપત્તિની ગુણવત્તા, રોકડ, પ્રોવિઝન કવરેજ, બેંકોનો નફો વધુ સારો છે. બેંકો આરબીઆઈ દ્વારા જારી કરાયેલ મોટા એક્સપોઝર ફ્રેમવર્કનું પાલન કરી રહી છે. આરબીઆઈ સતર્ક છે અને ભારતીય બેંકિંગ ક્ષેત્રની સ્થિરતા માટે કડક તકેદારી રાખી રહી છે.

આ અગાઉ નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ અદાણી ગ્રુપને લઈને ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતની બેંકિંગ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, હું જવાબદારી સાથે કહેવા માંગુ છું કે, ભારતનું બેંકિંગ ક્ષેત્ર ખૂબ જ સારી સ્થિતિમાં છે. અદાણી જૂથમાં એસબીઆઈ અને એલઆઈસી ઓવરએક્સપોઝ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, અદાણી જૂથમાં તેમની પાસે જે પણ એક્સપોઝર છે, તે નફામાં છે. એસબીઆઈના ચેરમેન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દિનેશ ખરાએ જણાવ્યું હતું કે, એસબીઆઈમાં અદાણી ગ્રુપનું એક્સ્પોઝર રૂ. 27,000 કરોડ છે, જે તેની કુલ લોન બુકના માત્ર 0.8 થી 0.9 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Protest | વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધGujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા
Khel Ratna Award: ખેલ રત્ન એવોર્ડ જીતનાર ખેલાડીઓ પર થશે રુપિયાનો વરસાદ,જાણો કેટલી મળે છે ઈનામી રકમ
Khel Ratna Award: ખેલ રત્ન એવોર્ડ જીતનાર ખેલાડીઓ પર થશે રુપિયાનો વરસાદ,જાણો કેટલી મળે છે ઈનામી રકમ
General Knowledge: ભારતના આ રાજ્યોમાં તમે નથી ખરીદી શકતા જમીન,ખૂબ કડક છે નિયમો
General Knowledge: ભારતના આ રાજ્યોમાં તમે નથી ખરીદી શકતા જમીન,ખૂબ કડક છે નિયમો
Reliance Jio: બજારમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO,શું તૂટી જશે તમામ રેકોર્ડ
Reliance Jio: બજારમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO,શું તૂટી જશે તમામ રેકોર્ડ
Embed widget