શોધખોળ કરો

સરકારે 5 વર્ષ માટે વધાર્યા Recurring Deposit ના વ્યાજ દર, હવે ગ્રાહકોને મળશે 6.7 ટકા ઈન્ટરેસ્ટ 

સરકારે શુક્રવારે પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમનો વ્યાજ દર ડિસેમ્બર ક્વાર્ટર માટે 6.5 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો હતો અને અન્ય તમામ નાની બચત યોજનાઓના દરો યથાવત રાખ્યા હતા.

સરકારે શુક્રવારે પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમનો વ્યાજ દર ડિસેમ્બર ક્વાર્ટર માટે 6.5 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો હતો અને અન્ય તમામ નાની બચત યોજનાઓના દરો યથાવત રાખ્યા હતા. નાણા મંત્રાલયના પરિપત્ર મુજબ બચત થાપણો પર વ્યાજ દર 4 ટકા અને એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.9 ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન દરો સમાન હતા.

હવે વ્યાજ દર શું છે?

બે વર્ષ અને ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 7 ટકા છે જ્યારે પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પરનો દર 7.5 ટકા છે.  સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર 8.2 ટકા વ્યાજ દર મળશે.  આ સિવાય મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમ પર વ્યાજ દર 7.4 ટકા છે જ્યારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (SSC) પર 7.7 ટકા અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમ પર 7.1 ટકા છે.

તેવી જ રીતે કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.5 ટકા છે અને રોકાણ 115 મહિનામાં પરિપક્વ થશે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ લોકપ્રિયા બાલિકા યોજના અને સુકન્યા સમૃદ્ધિ ખાતા પર વ્યાજ દર 8 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સરકાર દરેક ક્વાર્ટરમાં પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો જાહેર કરે છે.

આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

1 ઓક્ટોબર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8 ટકા વ્યાજ મળશે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વ્યાજ દર 7.7 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારાઓને 7.5 ટકા વ્યાજ મળશે અને તે 115 મહિનામાં પરિપક્વ થશે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર આ ક્વાર્ટરમાં 8.2 ટકા વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમમાં રોકાણ પર તમને 7.4 ટકા વ્યાજ મળશે. એક વર્ષની ટર્મ ડિપોઝિટ પર 6.9% વ્યાજ, 2 વર્ષની ટર્મ ડિપોઝિટ પર 7% વ્યાજ, 3 વર્ષની ટર્મ ડિપોઝિટ પર 7% વ્યાજ અને 5 વર્ષની ટર્મ ડિપોઝિટ સ્કીમ પર 7.5% વ્યાજ મળશે.

PPF રોકાણકારોમાં નિરાશા

ફરી એકવાર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને તેમાં રોકાણ કરનારા રોકાણકારોને માત્ર 7.1 ટકા વ્યાજ મળશે. એપ્રિલ 2020 થી પીપીએફના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે આ સમયગાળા દરમિયાન આરબીઆઈએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. સરકારે તમામ બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે. પરંતુ પીપીએફના વ્યાજદરમાં વધારો ન થતાં  રોકાણ કરનારા રોકાણકારો નિરાશા છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget