![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UIDAI News: યુઆઈડીઆઈએ કરી સ્પષ્ટતા, નથી રદ કર્યો કોઈ આધાર નંબર
Aadhar Update: UIDAIએ તેની વેબસાઈટ પર ફરિયાદો અને પ્રતિસાદ પેજ પર લખ્યું છે કે આધારનો ઉપયોગ ડિજિટલ ઓળખ તરીકે થાય છે જેના દ્વારા સબસિડી, લાભો અને સેવાઓનો લાભ લેવામાં આવે છે.
![UIDAI News: યુઆઈડીઆઈએ કરી સ્પષ્ટતા, નથી રદ કર્યો કોઈ આધાર નંબર UIDAI has affirmed that no Aadhaar numbers have been cancelled after West Bengal CM Mamata Banerjee says numbers in state delinked UIDAI News: યુઆઈડીઆઈએ કરી સ્પષ્ટતા, નથી રદ કર્યો કોઈ આધાર નંબર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/20/36e5facc9ae9e6ded5844b5b37d85d32170843814301976_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UIDAI Update: આધાર નંબર જારી કરતી નોડલ એજન્સી UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા) એ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. UIDAIએ કહ્યું કે આધાર ડેટાબેઝ અપડેટ કરવા માટે લોકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે પરંતુ કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી.
કોઈ આધાર નંબર રદ થયો નથી
UIDAIએ તેની વેબસાઈટ પર ફરિયાદો અને પ્રતિસાદ પેજ પર લખ્યું છે કે આધારનો ઉપયોગ ડિજિટલ ઓળખ તરીકે થાય છે જેના દ્વારા સબસિડી, લાભો અને સેવાઓનો લાભ લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, આધાર ડેટાબેઝને સચોટ રાખવા માટે, UIDAIએ દસ્તાવેજો અને આધારની માહિતી અપડેટ કરવા માટે ઘણા અભિયાનો શરૂ કર્યા છે. આ માટે આધાર નંબર ધારકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. UIDAIએ કહ્યું કે જો આધાર નંબર ધારકોને કોઈ ફરિયાદ હોય તો તેઓ પોતાનો પ્રતિભાવ અહીં સબમિટ કરી શકે છે. તેમની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે. UIDAIએ લિંક https://uidai.gov.in/en/contact-support/feedback.html પણ શેર કરી છે.
મમતા બેનર્જીએ પીએમને પત્ર લખ્યો હતો
UIDAI તરફથી આ સ્પષ્ટતા ત્યારે આવી છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના લોકોના આધારને નિષ્ક્રિય કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણી પહેલા લોકોને સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ લેવાથી રોકી રહી છે. આ અંગે મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.
I vehemently condemn the reckless deactivation of Aadhaar cards, particularly targeting SC, ST and OBC communities in West Bengal.
— Mamata Banerjee (@MamataOfficial) February 19, 2024
The Centre's unilateral decision to deactivate Aadhaar cards without any prior investigation or consultation with the State Govt. is a sinister plot… pic.twitter.com/iXttP9Uako
મમતાનો સવાલ
મમતા બેનર્જીએ પ્રધાનમંત્રીને પૂછ્યું કે કોઈ કારણવગર આધાર નંબરને ડિએક્ટિવ કેમ કરવામાં આવ્યા છે?
Filing a complaint is now easy with #Aadhaar
— Aadhaar (@UIDAI) February 20, 2024
Individuals can easily file complaints, attach documents, & receive bilingual support.
To file a complaint, visit https://t.co/Xkt2znFgP2 pic.twitter.com/Eb4OTtU3Xj
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)