શોધખોળ કરો

Vishwakarma Yojana: કરોડો કામદારો માટે મોદી સરકાર શરૂ કરશે યોજના, દર મહિને મળશે 15 હજાર રૂપિયાની આર્થિક મદદ

Vishwakarma Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજધાનીમાં દ્વારકાના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતે આ યોજનાની શરૂઆત કરશે.

Vishwakarma Scheme: કેન્દ્ર સરકાર કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજધાનીમાં દ્વારકાના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતે આ યોજનાની શરૂઆત કરશે.

યોજના હેઠળ લાભાર્થીઓને  રાહત વ્યાજ દરે કોલેટરલ ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ-વાઉચર અથવા eRUPI દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મળશે. આ સિવાય કારીગરોને દર મહિને વધુમાં વધુ 100 ટ્રાજેક્શન માટે પ્રતિ ટ્રાજેક્શન પર 1 રૂપિયાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે.                  

વિશ્વકર્મા યોજના શું છે?

આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે. આ યોજના હેઠળ 18 પ્રકારના શ્રમિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.                

આનાથી કોને ફાયદો થશે?

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ લુહાર, કુંભાર, સુથાર,  ધોબી, ફૂલ કામદારો, માછલીની જાળી વણનાર, તાળા-ચાવી બનાવનારા, શિલ્પકારો વગેરેને લાભ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય કેટલાક ક્ષેત્રોના કામદારોને પણ આ લાભ આપવામાં આવશે.                          

કેવી રીતે મળશે આર્થિક મદદ?

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આના પર વ્યાજ દર મહત્તમ 5 ટકા રહેશે. તે પછી બીજા તબક્કામાં પાત્ર કામદારોને દરેકને 2 લાખ રૂપિયાની રાહત લોન આપવામાં આવશે. આ ઉપરાંત આ કારીગરોને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ પણ આપવામાં આવશે. આધુનિક સાધનો ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે.                        

લાભ મેળવવાની શરત

કારીગરો માટે સરકારે આ યોજના હેઠળ પાંચ વર્ષ (FY24-28) ના સમયગાળા માટે 13,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ યોજના હેઠળ લઘુત્તમ વય 18 વર્ષ રાખવામાં આવી છે. પરિવારના એક જ સભ્યને આ યોજનાનો લાભ મળશે. અરજી કરનારાઓએ સ્વ-ઘોષણા ફોર્મ પણ આપવાનું રહેશે.                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget