શોધખોળ કરો
Advertisement
યસ બેન્ક પર RBIએ લગાવ્યા નિયંત્રણ, હવે આટલા રૂપિયા જ એકાઉન્ટમાંથી ઉપાડી શકશો
રિઝર્વ બેન્કે સરકાર સાથે ચર્ચા કર્યા બાદ બેન્કના નિર્દેશક મંડળની ક્ષમતાને લઇને આ નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી પ્રાઇવેટ સેક્ટરની યસ બેન્ક પર ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ)એ અનેક પ્રકારના નિયંત્રણો લગાવ્યા છે. આરબીઆઇના આ પ્રતિબંધ બાદ કોઇ પણ ખાતાધારક એક મહિના સુધી પોતાના એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયાથી વધુ રૂપિયા ઉપાડી શકશે નહીં. રિઝર્વ બેન્કે સરકાર સાથે ચર્ચા કર્યા બાદ બેન્કના નિર્દેશક મંડળની ક્ષમતાને લઇને આ નિર્ણય લીધો છે.
આરબીઆઇનો આ નિર્ણય બેન્કની ખરાબ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સાથે એસબીઆઇના ભૂતપૂર્વ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર પ્રશાંત કુમારની યસ બેન્કના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક કરી છે. જાણકારી અનુસાર, કોઇ પણ ખાતાધારક કોઇ સેવિંગ, કરન્ટ અને કોઇ અન્ય સેવિંગ એકાઉન્ટમાં 50 હજાર રૂપિયાથી વધુ રકમ ઉપાડી શકશે નહીં.Reserve Bank of India (RBI) puts Yes Bank under moratorium. Withdrawals have been capped at Rs 50,000. pic.twitter.com/RidOCV2Rmp
— ANI (@ANI) March 5, 2020
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઇ વ્યક્તિ પાસે યસ બેન્કમાં એકથી વધારે એકાઉન્ટ હોય તો તમામ એકાઉન્ટને મળીને તે કુલ 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. યસ બેન્કનું દેવું વધી ગયું છે જેના કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. નોંધનીય છે કે સૂત્રોએ જાણકારી આપી હતી કે યસ બેન્કને એસબીઆઇ અને અન્ય આર્થિક સંસ્થાઓ સાથે મળીને તેને આ હાલતમાંથી બહાર કાઢી શકે છે.Reserve Bank of India: RBI has in consultation with the Central Govt, superseded the Board of Directors of Yes Bank Ltd for a period of 30 days owing to a serious deterioration in the financial position of Bank. Prashant Kumar, ex-DMD & CFO of SBI appointed as the administrator. https://t.co/bBmn5KeekB
— ANI (@ANI) March 5, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
ક્રિકેટ
દેશ
Advertisement