શોધખોળ કરો

Zomato Exits: Zomatoએ દેશના 225 શહેરોમાંથી સમેટયો તેનો બિઝનેસ, કંપનીની ખોટ 5 ગણી વધી, રિપોર્ટમાં ખુલાસો

Zomato Exits : Zomatoએ તેના ત્રિમાસિક અહેવાલના આધારે કેટલાક નિર્ણયો લીધા છે. કંપનીએ તેના શેરધારકોને પત્ર લખીને આ અંગેની માહિતી આપી છે. જાણો સંપૂર્ણ વિગતો.

Zomato Exits Smaller Cities: દેશમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીનું કામ કરતી કંપની Zomato સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. Zomato છેલ્લા મહિનામાં લગભગ 225 નાના શહેરોમાંથી બહાર નીકળી ગયું છે. એટલે કે હવે Zomatoએ આ શહેરોમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. કંપનીના ડિસેમ્બર-ક્વાર્ટરના અર્નિંગ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

કંપનીએ શેરધારકોને પત્ર લખ્યો હતો

Zomatoના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અક્ષાંત ગોયલે કંપનીના શેરધારકોને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં, અમે લગભગ 225 નાના શહેરોમાંથી બહાર નીકળી ગયા છીએ, કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY23) સંબંધિત રિપોર્ટ જાહેર કર્યો છે. તેણે ગ્રોસ ઓર્ડર વેલ્યુ (GOV) ના 0.3 ટકા યોગદાન આપ્યું છે. ગોયલે શેરધારકોને કહ્યું કે તે એક પડકારજનક વાતાવરણ છે.  પરંતુ અમે તાજેતરના અઠવાડિયામાં માંગમાં સુધારો જોઈ રહ્યા છીએ, જે અમને વિશ્વાસ આપે છે કે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે.

1,000થી વધુ શહેરોમાં બિઝનેસ કર્યો

Zomato ના વાર્ષિક અહેવાલ મુજબ, ગયા વર્ષે 2021-22માં કંપની દેશના 1,000 થી વધુ શહેરોમાં ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી બિઝનેસ ચલાવી રહી હતી. જે હવે સીમિત થઈ ગઈ છે. ગોયલે કહ્યું કે છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં આ (225) શહેરોના ખરાબ પ્રદર્શનને કારણે અમારે ત્યાં અમારો બિઝનેસ બંધ કરવો પડ્યો. આ શહેરોમાંથી બહાર જવાથી કંપનીના ખર્ચ પર કોઈ અસર પડશે કે કેમ આ અંગે ગોયલે કહ્યું કે તેનાથી વધુ અસર નહીં થાય.

કંપનીની ખોટ 5 ગણી વધી

ગુરુગ્રામ સ્થિત ઝોમેટો કંપનીનું કહેવું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની આવક 75 ટકા વધીને રૂ. 1,948 કરોડ થઈ છે. ત્યારે આ જ કંપનીની ખોટ 5 ગણી વધીને 346 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વાર્ષિક ધોરણે 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા 3 મહિનાના સમયગાળા માટે કંપનીની આવકમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. અગાઉ ઝોમેટોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1,581 કરોડ અને ડિસેમ્બર 2021ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 1,200 કરોડની સરખામણીમાં રૂ. 1,565 કરોડની એડજસ્ટેડ આવક પોસ્ટ કરી હતી.

Zomatoનો સ્ટોક ઘટ્યો

Zomatoના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સવારના વેપારમાં BSE પર કંપનીનો શેર 1.47 ટકા ઘટીને રૂ. 53.60 થયો હતો. NSE પર તે 1.38 ટકા ઘટીને રૂ. 53.65 પર આવી ગયો છે. દરમિયાન, બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 118.15 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 60,688.07 પર ટ્રેડ કરી રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Embed widget