શોધખોળ કરો

Zomato: હવે ટ્રેનમાં તમારી સીટ સુધી ઝમવાનું પહોંચાડશે ઝોમેટો, 100થી વધુ સ્ટેશન પર શરુ કરવામાં આવી સર્વિસ

Zomato Train Food Delivery: ઝોમેટો(Zomato)ની આ સેવા હવે 100 થી વધુ રેલ્વે સ્ટેશનો પર ઉપલબ્ધ થશે, જેની મદદથી તમે મુસાફરી દરમિયાન તમારા મનપસંદ ભોજનનો ઓર્ડર આપી શકશો...

Zomato Train Food Delivery: હવે તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે Zomato પર તમારું મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકશો અને તમને તમારી સીટ પર જ ડિલિવરી મળશે. એપ દ્વારા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ચલાવતી કંપની Zomato એ આ સેવા માટે IRCTC સાથે હાથ મિલાવ્યો છે.

10 લાખથી વધુ ઓર્ડરની ડિલિવરી કરી ચુક્યું છે ઝોમેટો
કંપનીની આ સેવા દેશના ઘણા શહેરોમાં શરૂ થઈ ચૂકી છે. Zomato અનુસાર, તેની ટ્રેન ફૂડ ડિલિવરી સેવા દેશના 88 શહેરોમાં ઉપલબ્ધ છે. આ સેવા દ્વારા, કંપનીએ અત્યાર સુધીમાં દેશના 100 થી વધુ રેલવે સ્ટેશનો પર મુસાફરોને 10 લાખથી વધુ ઓર્ડર પહોંચાડ્યા છે. આ સેવા હેઠળ, રેલ્વે મુસાફરો મુસાફરી દરમિયાન તેમની મનપસંદ ડીશનો ઓર્ડર આપી શકે છે અને તે ડીશ તેમની સીટ પર પહોંચાડવામાં આવશે.

કોચ અથવા સ્ટેશન પરિસરમાંથી ઓર્ડર કરી શકો છો
ઝોમેટોએ આ સેવાને ‘Zomato – Food Delivery in Trains’ નામ આપ્યું છે. કંપનીનું કહેવું છે કે તેની નવી સેવાનો લાભ ટ્રેનમાં મુસાફરી કરતા ગ્રાહકો તેમજ સ્ટેશન પર હાજર ગ્રાહકો લઈ શકશે. મતલબ કે, જો તમે કોઈ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છો અને તમને ભૂખ લાગી છે, તો તમે Zomato દ્વારા ત્યાં તમારું મનપસંદ ફૂડ ઓર્ડર કરી શકો છો. તમારું મનપસંદ ભોજન આરોગવા માટે તમારે સ્ટેશનની બહાર જવાની જરુર રહેશે નહીં.

સીઈઓ ગોયલે આપી લેટેસ્ટ માહિતી
ઝોમેટોના સહ-સ્થાપક અને CEO દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે એક અપડેટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, ઝોમેટો હવે 100 થી વધુ રેલ્વે સ્ટેશનો પર સીધા તમારા ડબ્બામાં ફૂડ ડિલિવરી કરી રહ્યું છે. IRCTC સાથેની અમારી ભાગીદારી બદલ આભાર. અમે પહેલાથી જ ટ્રેનો પર 10 લાખથી વધુ ઓર્ડર પહોંચાડ્યા છે. તમારી આગામી સફરમાં આને ટ્રાઈ કરો!

શુક્રવારે સ્ટોકમાં નોંધાયો હતો ઘટાડો
Zomato તેના વ્યવસાયને વિસ્તારવા માટે સતત નવીન સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. તાજેતરમાં કંપનીએ શેડ્યુલિંગ ઓર્ડરની સુવિધા શરૂ કરી છે. શુક્રવારે Zomatoનો શેર 3.66 ટકા ઘટીને રૂ. 273.50 પર બંધ થયો હતો.

આ પણ વાંચો...

Aadhaar card update: આધારકાર્ડને મફતમાં અપડેટ કરવાની તારીખ લંબાવાઈ, જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget