શોધખોળ કરો

મુંબઈથી આવતા લોકોને કારણે ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના કેસોનો ફાટ્યો રાફડો, એક જ દિવસમાં નોંધાયા 21 કેસ

ગઈ કાલે એક જ દિવસમાં કચ્છ જિલ્લામાં 21 કોરોનાના રિપોર્ટ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. કચ્છમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 52 એ પહોંચ્યો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ મુંબઈથી આવી રહેલા લોકો પણ મુશ્કેલી વધારી રહ્યા છે. કારણ કે, મુંબઈથી આવી રહેલા કેટલાય લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. ત્યારે મુંબઈથી વતન આવી રહેલા લોકોને કારણે કચ્છ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ગઈ કાલે એક જ દિવસમાં કચ્છ જિલ્લામાં 21 કોરોનાના રિપોર્ટ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. કચ્છમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 52 એ પહોંચ્યો છે. મુંબઇથી આવેલા લોકોના પગલે કચ્છમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મુંબઇથી આવતા મોટા ભાગ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. એક તરફ કચ્છમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ મુંબઈથી લોકો હજુ પણ મોટી સંખ્યામાં વતન પરત ફરી રહ્યા છે. આજે મુંબઇથી 1200 લોકો ટ્રેન મારફતે કચ્છ આવી પોહચ્યા છે. તમામ લોકોને ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તમામ લોકોને બસ મારફતે ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરોન્ટાઈનના સ્થળે લઈ જવાયા છે. મુંબઇથી આવતા લોકોના પગલે કચ્છના સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. અચાનક કચ્છમાં પોઝિટિવ કેસના આંકમાં ઉછાળો આવ્યો છે. સતત મુંબઇથી કચ્છ આવતા લોકો કોરોના રિપોર્ટ આવતા કચ્છ સ્થાનિકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. નોંધનીય છે કે, ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોરોનાના 395 કેસ નોંધાયા હતા. જ્યારે 25 લોકોના મોત થયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 262 કેસો નોંધાયા છે. આ પછી સુરતમાં 29, કચ્છમાં 21, વડોદરામાં 18 અને ગાંધીનગરમાં 10 કેસો નોંધાયા છે. આ સિવાય અન્ય જિલ્લોમાં 10થી ઓછા કેસો નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં ગઈ કાલે થયેલા 25 મોતમાંથી અમદાવાદમાં સૌથી વધુ 21 મોત થયા છે. આ સિવાય સુરતમાં 2, અરવલ્લીમાં 1 અને ગાંધીનગરમાં 1 વ્યક્તિનું મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget