શોધખોળ કરો

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશ અપાવા અંગે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ધોરણ-1 માં એડમિશન માટે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત નથી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં ધોરણ-1 પ્રવેશ માટે બાલવાટિકા સર્ટિફિકેટ ફરજિયાત નથી.
  • જન્મ પ્રમાણપત્ર કે માન્ય ઉંમરના પુરાવાથી જ પ્રવેશ અપાશે.
  • બાલવાટિકા સર્ટિફિકેટ માંગતી શાળા સામે કડક કાર્યવાહી કરાશે.
  • શિક્ષણ વિભાગને મળેલી વારંવારની ફરિયાદો બાદ આ નિર્ણય.

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશ અપાવા અંગે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ સ્પષ્ટતા કરી કે, હવેથી ધોરણ-1 માં એડમિશન માટે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત નથી. માત્ર બાળકના જન્મના પ્રમાણપત્ર કે માન્ય ઉંમરના પુરાવાના આધારે પણ પ્રવેશ મળી જશે. જો કોઈ સરકારી કે ખાનગી શાળા બાલવાટિકા સર્ટિફિકેટની માંગણી કરીને પ્રવેશ આપવાની ના પાડશે, તો તેમની સામે આકરા પગલાં લેવામાં આવશે. નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ  અને ખાનગી પ્રાથમિક શાળાઓને કડક તાકીદ કરી છે કે આ નિયમનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગે વાલીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવવા માટે હવે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) રજૂ કરવું ફરજિયાત રહેશે નહીં. બાળકના જન્મના પ્રમાણપત્ર અથવા માન્ય ઉંમરના પુરાવાના આધારે જ શાળાએ પ્રવેશ આપવાનો રહેશે. જો કોઈ પણ સરકારી કે ખાનગી શાળા બાલવાટિકાના સર્ટિફિકેટની અનાવશ્યક માંગણી કરીને બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરશે, તો તેની સામે શિક્ષણ વિભાગ દ્વારા કાયદાકીય અને આકરા વહીવટી પગલાં લેવામાં આવશે.

વારંવાર મળતી ફરિયાદો બાદ શિક્ષણ વિભાગ હરકતમાં

છેલ્લા કેટલાક સમયથી રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ધોરણ-1 માં પ્રવેશ આપતી વખતે વાલીઓ પાસેથી બાલવાટિકાનું સર્ટિફિકેટ ફરજિયાતપણે માંગવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો શિક્ષણ વિભાગને મળી હતી. સર્ટિફિકેટ ન હોય તો પ્રવેશ આપવાનો ઇનકાર કરાતો હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. આ ફરિયાદોની ગંભીર નોંધ લઈને ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ એક પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે, શાળાઓ દ્વારા કરાતી આવી માંગણી કાયદાની જોગવાઈઓને અનુરૂપ નથી. નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓને આ નિયમનું કડકપણે પાલન કરવાની તાકીદ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

જન્મના પ્રમાણપત્રના આધારે જ મળશે પ્રવેશ

શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર નક્કી કરવા માટે  જન્મ પ્રમાણપત્ર જ મુખ્ય આધાર રહેશે. જો જન્મ પ્રમાણપત્ર ન હોય તો અન્ય માન્ય સરકારી દસ્તાવેજના આધારે ઉંમરની ખાતરી કરીને પ્રવેશ આપવાનો રહેશે. જો કોઈ કારણસર વાલી પાસે તુરંત ઉંમરની સાબિતી ઉપલબ્ધ ન હોય, તો પણ માત્ર તે કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં.

RTE કાયદાની કલમ-14 હેઠળ થશે કાર્યવાહી

શિક્ષણ વિભાગે તમામ શાળા સંચાલકોને ચીમકી આપતાં જણાવ્યું છે કે, જો કોઈ પણ શાળા બાલવાટિકાનું પ્રમાણપત્ર ન હોવાના બહાને બાળકને પ્રવેશ આપવાની ના પાડશે અથવા પ્રવેશ પ્રક્રિયામાં અડચણ ઊભી કરશે, તો તેને શિક્ષણના અધિકાર (RTE) કાયદાની કલમ-14નું સીધું ઉલ્લંઘન ગણવામાં આવશે. આવી શાળાઓ સામે વહીવટી તપાસ કરીને કડક દંડાત્મક પગલાં ભરવામાં આવશે. તાજેતરમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટે બાલવાટિકા સર્ટિફિકેટ ફરજિયાત માંગવામાં આવતું હોવાની ફરિયાદો શિક્ષણ વિભાગ સુધી પહોંચી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે આવી માંગણી કાયદાની જોગવાઈઓને અનુરૂપ નથી.

અતિવૃષ્ટિના કારણે જે ઘરોમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો પલળી ગયા છે કે નુકસાન પામ્યા હોય તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે. શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશિષ્ટ આયોજન પાછળનો મુખ્ય હેતુ અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોનું શિક્ષણ અટકે નહીં અને તેમનો અભ્યાસ સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

Frequently Asked Questions

ધોરણ-1 માં પ્રવેશ માટેનો નવો નિયમ શું છે?

ધોરણ-1 માં પ્રવેશ માટે હવે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર ફરજિયાત નથી. માત્ર બાળકના જન્મના પ્રમાણપત્ર કે માન્ય ઉંમરના પુરાવા પર પ્રવેશ મળશે.

જો કોઈ શાળા બાલવાટિકા પ્રમાણપત્ર માંગે તો શું થશે?

જો કોઈ શાળા બાલવાટિકા સર્ટિફિકેટની માંગણી કરીને પ્રવેશ નકારે, તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. આ RTE કાયદાની કલમ-14નું ઉલ્લંઘન ગણાશે.

શિક્ષણ વિભાગે આ નિર્ણય શા માટે લીધો છે?

કેટલીક શાળાઓ દ્વારા ધોરણ-1 માં પ્રવેશ માટે બાલવાટિકા સર્ટિફિકેટ ફરજિયાત માંગવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો મળ્યા બાદ વાલીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે.

ધોરણ-1 માં પ્રવેશ માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

પ્રવેશ માટે બાળકના જન્મનું પ્રમાણપત્ર અથવા અન્ય કોઈ માન્ય સરકારી દસ્તાવેજના આધારે ઉંમરની ખાતરી કરીને પ્રવેશ આપવાનો રહેશે. બાલવાટિકાનું પ્રમાણપત્ર ફરજિયાત નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget